Online Grievance Redressal | સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુખાકારી અને જનહિતના પ્રશ્નોના ઝડપી તેમજ પારદર્શક નિરાકરણ માટે ‘પ્રો-એક્ટિવ ગવર્નન્સ’ અંતર્ગત એક અનોખી અને લોકાભિમુખ પહેલ શરૂ કરવામાં આવી છે.
આ નવીન વ્યવસ્થાના ભાગરૂપે પ્રથમ ગુરુવારે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા કક્ષાના અરજદારો સાથે સીધા જોડાયા હતા. તેમણે છેવાડાના વિસ્તારોમાંથી આવેલા નાગરિકોના પ્રશ્નો તેમજ રજૂઆતોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળીને સંબંધિત અધિકારીઓને જરૂરી સકારાત્મક દિશા-નિર્દેશો આપ્યા હતા.
કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, અરજદારોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે રીતે તેમના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવામાં આવે.
તેમજ તાલુકા મામ. કચેરીઓ ખાતે તથા જિલ્લા કક્ષાએ હાજર રહેલા અરજદારોના પ્રશ્નો પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ તથા અન્ય અધિકારીશ્રીઓની હાજરીમાં વિડિયો કોન્ફરન્સ માધ્યમથી સાંભળી, પ્રશ્નોનો સત્વરે નિકાલ થાય તે માટે સૂચના આપવામાં આવી. @CMOGuj @revenuegujarat @InfoGujarat pic.twitter.com/kJlTMhQTE6
— Collector Surendranagar (@CollectorSRN) June 11, 2026
અગાઉ જિલ્લાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરિકોએ પોતાના પ્રશ્નોની રજૂઆત માટે દર સોમવાર અને ગુરુવારે છેક સુરેન્દ્રનગર જિલ્લા મથક સુધી રૂબરૂ આવવું પડતું હતું, જેમાં તેમનો કિંમતી સમય, શક્તિ, નાણાં અને ઈંધણનો મોટાપાયે વ્યય થતો હતો.
આ સમસ્યાના કાયમી નિવારણ માટે હવે નાગરિકોએ જિલ્લા મથકે આવવાની બિલકુલ જરૂર રહેશે નહીં. તેના બદલે અરજદારોએ દર અઠવાડિયાના સોમવાર અને ગુરુવારે સવારે 11:00 થી 01:00 કલાક દરમિયાન પોતપોતાના તાલુકાની મામલતદાર કચેરી ખાતે જ ઉપસ્થિત રહેવાનું રહેશે, જ્યાંથી તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીધા જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની રજૂઆત લાઈવ કરી શકશે.
આ ટેકનોલોજી આધારિત જનહિતલક્ષી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે જે-તે તાલુકાની મામલતદાર કચેરી ખાતે સંબંધિત મામલતદાર તથા પ્રાંત અધિકારી પણ અરજદારો સાથે ફરજિયાતપણે ઉપસ્થિત રહેશે.
આ નવી ડિજિટલ પદ્ધતિ મુજબ રજૂ થતા પ્રશ્નોના યોગ્ય ફોલો-અપ અને ત્વરિત નિકાલ માટે મામલતદાર દ્વારા એક અલગ રજિસ્ટર પણ નિભાવવામાં આવશે, જેથી કોઈ પ્રશ્ન વણઉકલ્યો ન રહે. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની આ પારદર્શક, ઝડપી અને પ્રશંસનીય પહેલ આગામી સમયમાં છેવાડાના સામાન્ય નાગરિકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ અને લોકઉપયોગી સાબિત થશે.
SMC ના દરોડા બાદ ફરજમાં બેદરકારી બદલ કડક એક્શન ચોટીલાના PI જયદીપ સોલંકી અને PSI…
Surendranagar Stray Dog Attack| સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં રખડતા શ્વાન કરડવાની ઘટનાઓ સતત વધી રહી છે.…
Agariya Awas Yojana | ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોર્ડના સભ્ય સચિવ…
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…