Surendranagar

સુરેન્દ્રનગરમાં હવે ઓનલાઈન જનસુનાવણી: કલેક્ટર જી. એચ. સોલંકી વીડિયો કોન્ફરન્સથી સાંભળશે અરજદારોની ફરિયાદો

Online Grievance Redressal | સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુખાકારી અને જનહિતના પ્રશ્નોના ઝડપી તેમજ પારદર્શક નિરાકરણ માટે ‘પ્રો-એક્ટિવ ગવર્નન્સ’ અંતર્ગત એક અનોખી અને લોકાભિમુખ પહેલ શરૂ કરવામાં આવી છે.

આ નવીન વ્યવસ્થાના ભાગરૂપે પ્રથમ ગુરુવારે જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા કક્ષાના અરજદારો સાથે સીધા જોડાયા હતા. તેમણે છેવાડાના વિસ્તારોમાંથી આવેલા નાગરિકોના પ્રશ્નો તેમજ રજૂઆતોને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળીને સંબંધિત અધિકારીઓને જરૂરી સકારાત્મક દિશા-નિર્દેશો આપ્યા હતા.

કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, અરજદારોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે રીતે તેમના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવામાં આવે.

અગાઉ જિલ્લાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરિકોએ પોતાના પ્રશ્નોની રજૂઆત માટે દર સોમવાર અને ગુરુવારે છેક સુરેન્દ્રનગર જિલ્લા મથક સુધી રૂબરૂ આવવું પડતું હતું, જેમાં તેમનો કિંમતી સમય, શક્તિ, નાણાં અને ઈંધણનો મોટાપાયે વ્યય થતો હતો.

આ સમસ્યાના કાયમી નિવારણ માટે હવે નાગરિકોએ જિલ્લા મથકે આવવાની બિલકુલ જરૂર રહેશે નહીં. તેના બદલે અરજદારોએ દર અઠવાડિયાના સોમવાર અને ગુરુવારે સવારે 11:00 થી 01:00 કલાક દરમિયાન પોતપોતાના તાલુકાની મામલતદાર કચેરી ખાતે જ ઉપસ્થિત રહેવાનું રહેશે, જ્યાંથી તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીધા જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની રજૂઆત લાઈવ કરી શકશે.

આ ટેકનોલોજી આધારિત જનહિતલક્ષી વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે જે-તે તાલુકાની મામલતદાર કચેરી ખાતે સંબંધિત મામલતદાર તથા પ્રાંત અધિકારી પણ અરજદારો સાથે ફરજિયાતપણે ઉપસ્થિત રહેશે.

આ નવી ડિજિટલ પદ્ધતિ મુજબ રજૂ થતા પ્રશ્નોના યોગ્ય ફોલો-અપ અને ત્વરિત નિકાલ માટે મામલતદાર દ્વારા એક અલગ રજિસ્ટર પણ નિભાવવામાં આવશે, જેથી કોઈ પ્રશ્ન વણઉકલ્યો ન રહે. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની આ પારદર્શક, ઝડપી અને પ્રશંસનીય પહેલ આગામી સમયમાં છેવાડાના સામાન્ય નાગરિકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ અને લોકઉપયોગી સાબિત થશે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ સપાટો બોલાવ્યો: ચોટીલા કેમિકલ ચોરી પ્રકરણમાં PI, PSI સહિત 4 સસ્પેન્ડ, LCB આખી બદલાઈ!

SMC ના દરોડા બાદ ફરજમાં બેદરકારી બદલ કડક એક્શન ચોટીલાના PI જયદીપ સોલંકી અને PSI…

19 hours ago

સુરેન્દ્રનગરના કૃષ્ણનગરમાં હડકાયા શ્વાને10થી વધુ લોકોને બચકા ભર્યા, પાલિકાની બેદરકારી સામે રોષ

Surendranagar Stray Dog Attack| સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં રખડતા શ્વાન કરડવાની ઘટનાઓ સતત વધી રહી છે.…

22 hours ago

સુરેન્દ્રનગરના રણમાં અગરીયાઓ માટે નવી આવાસ યોજના: અધિક શ્રમ આયુક્ત ડૉ. વાય. એમ. શેખ દ્વારા સ્થળ તપાસ

Agariya Awas Yojana | ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોર્ડના સભ્ય સચિવ…

23 hours ago

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

3 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

3 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

3 weeks ago