Categories: Uncategorized

સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા..

સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા..

અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરવાની નોબત સર્જાઈ..

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોની તો માઠી દશા છે પરંતુ શહેરીજનોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે સુરેન્દ્રનગર શહેરના અજરામાં ટાવર ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતા જિલ્લા પુસ્તકાલયમાં આવતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો અને મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતા લોકોને પણ હાલાકી વેઠવાની નોબત સર્જાઈ હતી..

આ બાબતની જાણ થતા શહેરના મુખ્ય માર્ગો ઉપર અને અંડર બ્રિજમાં ભરાયેલા પાણીનો નિકાલ થાય તે માટે મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો કામે લગાવવામાં આવી હતી અને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા થાય તે માટે કામ પર લગાવવામાં આવી હતી ભૂગર્ભ ડ્રેનેજ યોજના લોક થઈ જતા શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા અને વાહનો પણ બંધ પડી જતા હોય તે પ્રકારના બનાવો સામે આવ્યા હતા..

jeet

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago