સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા..
અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરવાની નોબત સર્જાઈ..
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોની તો માઠી દશા છે પરંતુ શહેરીજનોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે સુરેન્દ્રનગર શહેરના અજરામાં ટાવર ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતા જિલ્લા પુસ્તકાલયમાં આવતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો અને મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતા લોકોને પણ હાલાકી વેઠવાની નોબત સર્જાઈ હતી..
આ બાબતની જાણ થતા શહેરના મુખ્ય માર્ગો ઉપર અને અંડર બ્રિજમાં ભરાયેલા પાણીનો નિકાલ થાય તે માટે મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો કામે લગાવવામાં આવી હતી અને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા થાય તે માટે કામ પર લગાવવામાં આવી હતી ભૂગર્ભ ડ્રેનેજ યોજના લોક થઈ જતા શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા અને વાહનો પણ બંધ પડી જતા હોય તે પ્રકારના બનાવો સામે આવ્યા હતા..
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…