સુરેન્દ્રનગર શહેરમાં વરસાદના કારણે પાણી ભરાઈ ગયા..
અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા અંડરબ્રિજ બંધ કરવાની નોબત સર્જાઈ..
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોની તો માઠી દશા છે પરંતુ શહેરીજનોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે સુરેન્દ્રનગર શહેરના અજરામાં ટાવર ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતા જિલ્લા પુસ્તકાલયમાં આવતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો અને મુખ્ય માર્ગો ઉપરથી પસાર થતા લોકોને પણ હાલાકી વેઠવાની નોબત સર્જાઈ હતી..
આ બાબતની જાણ થતા શહેરના મુખ્ય માર્ગો ઉપર અને અંડર બ્રિજમાં ભરાયેલા પાણીનો નિકાલ થાય તે માટે મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો કામે લગાવવામાં આવી હતી અને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા થાય તે માટે કામ પર લગાવવામાં આવી હતી ભૂગર્ભ ડ્રેનેજ યોજના લોક થઈ જતા શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા અને વાહનો પણ બંધ પડી જતા હોય તે પ્રકારના બનાવો સામે આવ્યા હતા..
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…