Dhrangadhra

ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લખ્યો પત્ર..

ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લખ્યો પત્ર..

માવઠા થી નુકસાન અંગેનું સહાય પેકેજ જાહેર કરવા ખુદ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પત્ર લખી કરી માંગ..

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ છે તે વરસી રહ્યો છે જેમાં ખાસ કરી ધાંગધ્રા તાલુકામાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં પણ માવઠા રૂપી વરસાદના કારણે કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે હવે ધાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે અને સહાય રૂપી પેકે જાહેર કરવાની માંગ હવે ખુદ ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા મુખ્યમંત્રી પાસે કરવામાં આવી છે

બાગાયત પાકને પણ નુકસાન છે જેમાં દાડમ સરગવો લીંબુ જેવા પાકોને વ્યાપક નુકસાન છે ત્યારે બાગાયત પાકના ઉછેર કરતા ખેડૂતોને નુકસાની અંગેનો સર્વે કરી અને તેમના માટે પણ અલગથી સહાય રૂપી પેકે જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે મગફળી કપાસ જેવા પાકોને પણ નુકસાન છે ત્યારે તેનો પણ અલગ અલગ ટીમો દ્વારા સર્વે કરાવી અને ત્યારબાદ નુકસાની અંગેનો રિપોર્ટ રજૂ કરી અને ખેડૂતોને મળતી સહાય તાત્કાલિક ચુકવવા ધાંગધ્રા ના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરવામાં આવી છે.

માવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે કુદરત તો રૂઠ્યો છે પરંતુ હવે સરકાર ખેડૂતોની સામે જોવે તેવી ખેડૂતોની માંગ છે આ જ સંદર્ભે હવે ધારાસભ્યો પણ મેદાને આવ્યા છે કૃષિ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારના પાક નુકસાન વળતર પેકેજની રકમની જાહેરાત નથી કરવામાં આવી પરંતુ હવે ધારાસભ્યના પત્રો બાદ કૃષિ વિભાગ અને મુખ્યમંત્રી દ્વારા સંવેદનશીલતા દેખાડી અને ત્યારબાદ ખેડૂતોને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવા માટે અલગથી પાક નુકસાન વળતર જાહેર કરવામાં આવે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે..

ધ્રાંગધ્રા-હળવદના વિધાનસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા તાલુકામાં થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાન અંગે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે.તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી ને અલગ અલગ પત્ર લખી ધ્રાંગધ્રા-હળવદ તાલુકામાં પડેલા અતિરેક વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનની તાત્કાલિક સર્વે કરી યોગ્ય રાહત પેકેજ આપવા વિનંતી કરી છે.વરમોરાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તાજેતરના કમોસમી વરસાદને કારણે વિસ્તારના જુવાર, મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો આર્થિક રીતે પ્રભાવિત થયા છે. ખેડૂતોની હાલતને ધ્યાને લઈને સરકાર તાત્કાલિક રાહતની જાહેરાત કરે તેવી માગણી તેમણે કરી છે.

તેમણે જણાવ્યું કે ખેડૂતોની હાલત ગંભીર છે અને પાક બરબાદ થયા છે, તેથી સરકાર તાત્કાલિક પગલાં લઈ સહાય પેકેજની જાહેરાત કરે તો ખેડૂતોને મોટો રાહતનો શ્વાસ મળશે.ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારના ખેડૂતોની વતી પ્રકાશ વરમોરાએ આ મુદ્દે સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી છે

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago