ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લખ્યો પત્ર..
માવઠા થી નુકસાન અંગેનું સહાય પેકેજ જાહેર કરવા ખુદ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પત્ર લખી કરી માંગ..
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ છે તે વરસી રહ્યો છે જેમાં ખાસ કરી ધાંગધ્રા તાલુકામાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં પણ માવઠા રૂપી વરસાદના કારણે કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે હવે ધાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે અને સહાય રૂપી પેકે જાહેર કરવાની માંગ હવે ખુદ ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા મુખ્યમંત્રી પાસે કરવામાં આવી છે
બાગાયત પાકને પણ નુકસાન છે જેમાં દાડમ સરગવો લીંબુ જેવા પાકોને વ્યાપક નુકસાન છે ત્યારે બાગાયત પાકના ઉછેર કરતા ખેડૂતોને નુકસાની અંગેનો સર્વે કરી અને તેમના માટે પણ અલગથી સહાય રૂપી પેકે જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે મગફળી કપાસ જેવા પાકોને પણ નુકસાન છે ત્યારે તેનો પણ અલગ અલગ ટીમો દ્વારા સર્વે કરાવી અને ત્યારબાદ નુકસાની અંગેનો રિપોર્ટ રજૂ કરી અને ખેડૂતોને મળતી સહાય તાત્કાલિક ચુકવવા ધાંગધ્રા ના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરવામાં આવી છે.
માવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે કુદરત તો રૂઠ્યો છે પરંતુ હવે સરકાર ખેડૂતોની સામે જોવે તેવી ખેડૂતોની માંગ છે આ જ સંદર્ભે હવે ધારાસભ્યો પણ મેદાને આવ્યા છે કૃષિ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારના પાક નુકસાન વળતર પેકેજની રકમની જાહેરાત નથી કરવામાં આવી પરંતુ હવે ધારાસભ્યના પત્રો બાદ કૃષિ વિભાગ અને મુખ્યમંત્રી દ્વારા સંવેદનશીલતા દેખાડી અને ત્યારબાદ ખેડૂતોને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવા માટે અલગથી પાક નુકસાન વળતર જાહેર કરવામાં આવે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે..
ધ્રાંગધ્રા-હળવદના વિધાનસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા તાલુકામાં થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાન અંગે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે.તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી ને અલગ અલગ પત્ર લખી ધ્રાંગધ્રા-હળવદ તાલુકામાં પડેલા અતિરેક વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનની તાત્કાલિક સર્વે કરી યોગ્ય રાહત પેકેજ આપવા વિનંતી કરી છે.વરમોરાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તાજેતરના કમોસમી વરસાદને કારણે વિસ્તારના જુવાર, મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો આર્થિક રીતે પ્રભાવિત થયા છે. ખેડૂતોની હાલતને ધ્યાને લઈને સરકાર તાત્કાલિક રાહતની જાહેરાત કરે તેવી માગણી તેમણે કરી છે.
તેમણે જણાવ્યું કે ખેડૂતોની હાલત ગંભીર છે અને પાક બરબાદ થયા છે, તેથી સરકાર તાત્કાલિક પગલાં લઈ સહાય પેકેજની જાહેરાત કરે તો ખેડૂતોને મોટો રાહતનો શ્વાસ મળશે.ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારના ખેડૂતોની વતી પ્રકાશ વરમોરાએ આ મુદ્દે સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી છે
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…