Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ બેફામ – થોરિયાળી સુદામડા રોડ પર 1 કિમિ સુધી કાળા પથ્થર રોડ પર વેરાણા

સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ બેફામ – થોરિયાળી સુદામડા રોડ પર 1 કિમિ સુધી કાળા પથ્થર રોડ પર વેરાણા

વાહન ચાલકોના ટાયર ફૂટી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ..

કોરી એસોસિએશનને જાણ થતા તાત્કાલિક રોડ ઉપર પડેલા કાળા પથ્થર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી..

ખુલ્લી ટ્રકોમા પથ્થરોનુ આવનાર જાવન રોડ પર જતી વખતે પથ્થરો પડી રહ્યા છે

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બનતા જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલ હોય કે પછી કાળો પથ્થર હોય અને રેતી સુરેન્દ્રનગર જિલ્લાની પેટા જમીનમાંથી મળી આવે છે અને ખનીજ માફીઆઓ તેનો ભરપૂર ઉપયોગ કરીને કાળી કમાણી કરી રહ્યા છે ખાણ ખનીજ વિભાગ હોય પોલીસ વિભાગ હોય તે પણ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થોરીયાળી થી સુદામડા રોડ ઉપર ખનીજ માફીઆઓ દ્વારા ડમ્પર મારફતે જે ખનીજ પસાર કરવામાં આવી રહ્યું છે તે દરમિયાન કાળા પથ્થર રોડ ઉપર વાહન ચલાવતી વખતે પડ્યા હતા જાણે રોડ પર પથ્થર પાથરી દેવામાં આવ્યા હોય એવો ઘાટ સર્જાયો હતો એક કિલોમીટર સુધીના રોડ ઉપર કાળા પથ્થર પાથરી દેવામાં આવતા વાહન ચાલકો પરેશાન બની જવા પામ્યા હતા અને આ સંદર્ભે પોલીસ વિભાગ અને તંત્રને જાણ કરવામાં આવી હતી.

જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે તો સવાલ છે પરંતુ હવે રોડ ઉપર બેફામ રોયલ્ટી પાસ વગર તેમજ નિયમોના પાલન વગર દોડતા ડમ્પરો છે તે પણ બેફામ બનતા જઈ રહ્યા છે. ત્યારે થોરીયાળી થી સુદામડા રોડ ઉપર એક કિલોમીટર સુધી કાળા પથ્થર રોડ ઉપર પાથરી દેવામાં આવતા અનેક વાહનોના ટાયરો ફૂટી જવા પામ્યા છે અને વાહન ચાલકોને પરેશાની નો સામનો કરવો પડ્યો છે..

જોકે આ બાબતે પોલીસ અને તંત્રને જાણ કરવામાં આવ્યા બાદ કોરી એસોસિએશનના આગેવાનો દોડી આવ્યા હતા અને રોડ ઉપર જે ગેરકાયદેસર એક કિલોમીટર સુધી કાળા પથ્થર નાખવામાં આવ્યા હતા તે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને રોડ રસ્તો પુનઃ રીતે શરૂ થાય તે પ્રકારના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.

ખનીજ માફીઆઓ લોકોને હેરાન કરી રહ્યા છે પરેશાન કરી રહ્યા છે તે છતાં પણ તેમના વિરોધમાં કોઈ પગલા નથી ભરવામાં આવતા ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર તેમના વિરોધમાં કેમ પગલાં નથી ભરતું તે સુરેન્દ્રનગર જિલ્લાની જનતાનો સળગતો સવાલ છે તંત્ર મુખ પ્રેક્ષક બન્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે અને તેવા આક્ષેપો થઈ રહ્યા છે..

પોલીસ અને તંત્ર તમાસો જોઇ રહ્યાછે કે શુ ?

સાયલા સહીતના રસ્તાઓ પર બેફામ ડમ્પરોતો ચલાવવામા આવેછે એની સાથે રોડ પર પથ્થરો વેરાઇ રહ્યા છે પાછળ આવતા વાહનોની શુ હાલત થતી હશે ? કોઇ મોટો અકસ્માત સર્જાશે તો કોણ જવાબદાર? આવા ચાલકો સામે પોલીસ કે તંત્ર કેમ કોઇ કાર્યવાહી નથી કરતા એ સૌથી મોટો સવાલ છે

jeet

Recent Posts

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

1 day ago

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

2 days ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

2 days ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

2 days ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

2 days ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

5 days ago