સુરેન્દ્રનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ અત્યાચારના ગંભીર ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને એન.ટી.એમ. (NTM) સ્કૂલ પાસેથી આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીનું નામ ભુરાભાઈ વેલસીભાઈ કોડિયા (રહે. ટુવા) હોવાનું સામે આવ્યું છે.
આરોપી ભુરાભાઈ સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ ધરપકડથી બચવા માટે આરોપી સતત નાસતો ફરતો હતો. સિટી ‘એ’ ડિવિઝન પોલીસ અને અન્ય એજન્સીઓ તેને શોધી રહી હતી, પરંતુ તે હાથ લાગતો નહોતો. આ દરમિયાન પેરોલ ફર્લોની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી શહેરની એન.ટી.એમ. શાળા નજીક આવવાનો છે.
ચોક્કસ વોચ ગોઠવીને પોલીસે તેને દબોચી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પશુઓ પર ક્રૂરતા આચરવાના આ કેસમાં આરોપીની ધરપકડ થતા અન્ય તત્વોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા આરોપીનો કબજો સુરેન્દ્રનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે, જે હવે આ કેસમાં વધુ તપાસ ચલાવી રહી છે. પોલીસની આ કામગીરીને પગલે નાસતા ફરતા ગુનેગારોને પકડવાની ઝુંબેશ તેજ બની છે.
ધ્રાંગધ્રા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સિટી પોલીસ એક્શન મોડમાં આવી છે. ધ્રાંગધ્રા સીટી…
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાયલા તાલુકાના વખતપર ગામના…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનો રણકાંઠા વિસ્તાર ભૌગોલિક પરિસ્થિતિને કારણે શિક્ષણ ક્ષેત્રે આજે પણ પડકારોનો સામનો…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં…
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ધ્રાંગધ્રા…
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ રેલવે સ્ટેશન પર મુસાફરોને પાયાની સુવિધાઓ માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો…