સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં GUDC (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા હાથ ધરવામાં આવેલી ભૂગર્ભ ગટરની કામગીરી સ્થાનિકો માટે આશીર્વાદને બદલે આફત સમાન બની રહી છે.
અંદાજે 20 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થયેલો આ પ્રોજેક્ટ છેલ્લા કેટલાય સમયથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યો છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધ્રાંગધ્રા સેવા સદન સામેના મુખ્ય માર્ગ પર છેલ્લા દોઢ મહિનાથી ખોદકામ કરીને કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે.
ભૂગર્ભ ગટરની પાઈપલાઈન નાખવા માટે રોડ પર મોટા ખાડા ખોદવામાં આવ્યા છે અને ખોદકામની માટીના ઢગલા પણ રસ્તા પર જ ખડકી દેવાયા છે. સેવા સદન ખાતે દરરોજ સેંકડો અરજદારો પોતાના કામકાજ માટે આવતા હોય છે, જેમને આ અવરોધોને કારણે પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. રાત્રિના સમયે પૂરતી લાઈટિંગના અભાવે આ ખુલ્લા ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે આ માર્ગ પરથી નીકળવું અત્યંત જોખમી બની ગયું છે.
ચોંકાવનારી બાબત એ છે કે સેવા સદનમાં બેસતા ઉચ્ચ અધિકારીઓ પણ આ પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. અનેકવાર GUDC અને જવાબદાર તંત્રનું ધ્યાન દોરવા છતાં કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી. તંત્રની આ લાપરવાહી કોઈ મોટા અકસ્માતને નોતરું આપી રહી હોય તેવું જણાય છે. ધ્રાંગધ્રાની જનતા હવે માંગ કરી રહી છે કે વહીવટી તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે આ અધૂરું કામ પૂર્ણ કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે, જેથી નાગરિકોને અકસ્માતના ભયમાંથી મુક્તિ મળે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…