સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં GUDC (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા હાથ ધરવામાં આવેલી ભૂગર્ભ ગટરની કામગીરી સ્થાનિકો માટે આશીર્વાદને બદલે આફત સમાન બની રહી છે.
અંદાજે 20 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થયેલો આ પ્રોજેક્ટ છેલ્લા કેટલાય સમયથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યો છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધ્રાંગધ્રા સેવા સદન સામેના મુખ્ય માર્ગ પર છેલ્લા દોઢ મહિનાથી ખોદકામ કરીને કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે.
ભૂગર્ભ ગટરની પાઈપલાઈન નાખવા માટે રોડ પર મોટા ખાડા ખોદવામાં આવ્યા છે અને ખોદકામની માટીના ઢગલા પણ રસ્તા પર જ ખડકી દેવાયા છે. સેવા સદન ખાતે દરરોજ સેંકડો અરજદારો પોતાના કામકાજ માટે આવતા હોય છે, જેમને આ અવરોધોને કારણે પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. રાત્રિના સમયે પૂરતી લાઈટિંગના અભાવે આ ખુલ્લા ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે આ માર્ગ પરથી નીકળવું અત્યંત જોખમી બની ગયું છે.
ચોંકાવનારી બાબત એ છે કે સેવા સદનમાં બેસતા ઉચ્ચ અધિકારીઓ પણ આ પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. અનેકવાર GUDC અને જવાબદાર તંત્રનું ધ્યાન દોરવા છતાં કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી. તંત્રની આ લાપરવાહી કોઈ મોટા અકસ્માતને નોતરું આપી રહી હોય તેવું જણાય છે. ધ્રાંગધ્રાની જનતા હવે માંગ કરી રહી છે કે વહીવટી તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે આ અધૂરું કામ પૂર્ણ કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે, જેથી નાગરિકોને અકસ્માતના ભયમાંથી મુક્તિ મળે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…