સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાયલા તાલુકાના વખતપર ગામના પાટિયા પાસે એક પુરપાટ ઝડપે જતી આઈશર ટ્રકની પાછળ બાઈક ધડાકાભેર ઘૂસી જતાં 12 વર્ષના નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં પરિવારના અન્ય 3 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી વિગત મુજબ, પરનાળા ગામનો આ પરિવાર શ્રીમંતનો પ્રસંગ પૂર્ણ કરી બાઈક પર સવાર થઈ રાજકોટ પરત જઈ રહ્યો હતો. તે દરમિયાન આઈશર ચાલકે અચાનક બ્રેક મારતા અથવા ગફલતભરી રીતે વાહન હંકારતા પાછળ આવી રહેલું બાઈક તેમાં ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં 12 વર્ષીય અજય દિનેશભાઈ મીઠાપરાનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે તેના પિતા દિનેશભાઈ દીપાભાઈ મીઠાપરાને ગંભીર ઈજાઓ પહોંચી છે. અન્ય ઈજાગ્રસ્તોમાં માયાબેન મીઠાપરા અને જયદીપભાઈ કાલિયાનો સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સાયલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, પિતા દિનેશભાઈની હાલત અત્યંત નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સાયલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડી આઈશર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રસંગના હરખમાં રહેલા પરિવાર પર અચાનક આવી પડેલી આફતથી પરનાળા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…