Categories: ChotilaSayla

સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાયલા તાલુકાના વખતપર ગામના પાટિયા પાસે એક પુરપાટ ઝડપે જતી આઈશર ટ્રકની પાછળ બાઈક ધડાકાભેર ઘૂસી જતાં 12 વર્ષના નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં પરિવારના અન્ય 3 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મળતી વિગત મુજબ, પરનાળા ગામનો આ પરિવાર શ્રીમંતનો પ્રસંગ પૂર્ણ કરી બાઈક પર સવાર થઈ રાજકોટ પરત જઈ રહ્યો હતો. તે દરમિયાન આઈશર ચાલકે અચાનક બ્રેક મારતા અથવા ગફલતભરી રીતે વાહન હંકારતા પાછળ આવી રહેલું બાઈક તેમાં ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં 12 વર્ષીય અજય દિનેશભાઈ મીઠાપરાનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે તેના પિતા દિનેશભાઈ દીપાભાઈ મીઠાપરાને ગંભીર ઈજાઓ પહોંચી છે. અન્ય ઈજાગ્રસ્તોમાં માયાબેન મીઠાપરા અને જયદીપભાઈ કાલિયાનો સમાવેશ થાય છે.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સાયલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, પિતા દિનેશભાઈની હાલત અત્યંત નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સાયલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડી આઈશર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રસંગના હરખમાં રહેલા પરિવાર પર અચાનક આવી પડેલી આફતથી પરનાળા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago