સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાયલા તાલુકાના વખતપર ગામના પાટિયા પાસે એક પુરપાટ ઝડપે જતી આઈશર ટ્રકની પાછળ બાઈક ધડાકાભેર ઘૂસી જતાં 12 વર્ષના નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં પરિવારના અન્ય 3 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી વિગત મુજબ, પરનાળા ગામનો આ પરિવાર શ્રીમંતનો પ્રસંગ પૂર્ણ કરી બાઈક પર સવાર થઈ રાજકોટ પરત જઈ રહ્યો હતો. તે દરમિયાન આઈશર ચાલકે અચાનક બ્રેક મારતા અથવા ગફલતભરી રીતે વાહન હંકારતા પાછળ આવી રહેલું બાઈક તેમાં ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં 12 વર્ષીય અજય દિનેશભાઈ મીઠાપરાનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે તેના પિતા દિનેશભાઈ દીપાભાઈ મીઠાપરાને ગંભીર ઈજાઓ પહોંચી છે. અન્ય ઈજાગ્રસ્તોમાં માયાબેન મીઠાપરા અને જયદીપભાઈ કાલિયાનો સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સાયલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, પિતા દિનેશભાઈની હાલત અત્યંત નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સાયલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડી આઈશર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રસંગના હરખમાં રહેલા પરિવાર પર અચાનક આવી પડેલી આફતથી પરનાળા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…