સમગ્ર રાજ્યની સાથે ધ્રાંગધ્રા તાલુકામાં પણ છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાએ જોર પકડ્યું છે. આ અફવાને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી.
પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે લોકો વાહનોની ટાંકી ફૂલ કરાવવાની સાથે ઈંધણનો સંગ્રહ પણ કરવા લાગ્યા હતા, જેના કારણે અનેક પંપો પર મોડી રાત્રે સ્ટોક પૂર્ણ થઈ ગયો હતો. આ ગંભીર બાબતને ધ્યાને લઈ ધ્રાંગધ્રા મામલતદાર દ્વારા તાત્કાલિક પેટ્રોલ પંપ સંચાલકો સાથે મહત્વની બેઠક યોજવામાં આવી હતી.
મામલતદારે બેઠક દરમિયાન તમામ સંચાલકોને કડક સૂચના આપી છે કે કોઈ પણ ગ્રાહકને બિનજરૂરી જથ્થો સંગ્રહ કરવા માટે ન આપવો અને ઈંધણનું મર્યાદિત વેચાણ કરવું. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ સંચાલક જાણીજોઈને વેચાણ બંધ રાખશે અથવા કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરશે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. મામલતદારે સંચાલકોને માર્ગદર્શન આપ્યું હતું કે ટેકનિકલ ખામી સિવાય કોઈ પણ સંજોગોમાં ઈંધણનું વેચાણ અટકાવવું નહીં.
બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતાને પણ ખાસ અપીલ કરવામાં આવી છે. મામલતદારે જણાવ્યું કે જિલ્લામાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી સોશિયલ મીડિયા પર વહેતી થતી ખોટી અફવાઓથી દોરવાવું નહીં. લોકોને જરૂરિયાત મુજબ જ પેટ્રોલ-ડીઝલ પુરાવવા અને બિનજરૂરી સંગ્રહખોરી ટાળવા વિનંતી કરવામાં આવી છે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે અને દરેક નાગરિકને પૂરતું ઈંધણ મળી રહે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…