Categories: Dhrangadhra

ધ્રાંગધ્રા મામલતદારે પેટ્રોલ પંપ સંચાલકો સાથે બેઠક યોજી

સમગ્ર રાજ્યની સાથે ધ્રાંગધ્રા તાલુકામાં પણ છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાએ જોર પકડ્યું છે. આ અફવાને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી.

પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે લોકો વાહનોની ટાંકી ફૂલ કરાવવાની સાથે ઈંધણનો સંગ્રહ પણ કરવા લાગ્યા હતા, જેના કારણે અનેક પંપો પર મોડી રાત્રે સ્ટોક પૂર્ણ થઈ ગયો હતો. આ ગંભીર બાબતને ધ્યાને લઈ ધ્રાંગધ્રા મામલતદાર દ્વારા તાત્કાલિક પેટ્રોલ પંપ સંચાલકો સાથે મહત્વની બેઠક યોજવામાં આવી હતી.

મામલતદારે બેઠક દરમિયાન તમામ સંચાલકોને કડક સૂચના આપી છે કે કોઈ પણ ગ્રાહકને બિનજરૂરી જથ્થો સંગ્રહ કરવા માટે ન આપવો અને ઈંધણનું મર્યાદિત વેચાણ કરવું. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ સંચાલક જાણીજોઈને વેચાણ બંધ રાખશે અથવા કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરશે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. મામલતદારે સંચાલકોને માર્ગદર્શન આપ્યું હતું કે ટેકનિકલ ખામી સિવાય કોઈ પણ સંજોગોમાં ઈંધણનું વેચાણ અટકાવવું નહીં.

બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતાને પણ ખાસ અપીલ કરવામાં આવી છે. મામલતદારે જણાવ્યું કે જિલ્લામાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી સોશિયલ મીડિયા પર વહેતી થતી ખોટી અફવાઓથી દોરવાવું નહીં. લોકોને જરૂરિયાત મુજબ જ પેટ્રોલ-ડીઝલ પુરાવવા અને બિનજરૂરી સંગ્રહખોરી ટાળવા વિનંતી કરવામાં આવી છે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે અને દરેક નાગરિકને પૂરતું ઈંધણ મળી રહે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…

4 days ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…

4 days ago

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…

4 days ago

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…

4 days ago

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…

4 days ago

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…

4 days ago