સમગ્ર રાજ્યની સાથે ધ્રાંગધ્રા તાલુકામાં પણ છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાએ જોર પકડ્યું છે. આ અફવાને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી.
પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે લોકો વાહનોની ટાંકી ફૂલ કરાવવાની સાથે ઈંધણનો સંગ્રહ પણ કરવા લાગ્યા હતા, જેના કારણે અનેક પંપો પર મોડી રાત્રે સ્ટોક પૂર્ણ થઈ ગયો હતો. આ ગંભીર બાબતને ધ્યાને લઈ ધ્રાંગધ્રા મામલતદાર દ્વારા તાત્કાલિક પેટ્રોલ પંપ સંચાલકો સાથે મહત્વની બેઠક યોજવામાં આવી હતી.
મામલતદારે બેઠક દરમિયાન તમામ સંચાલકોને કડક સૂચના આપી છે કે કોઈ પણ ગ્રાહકને બિનજરૂરી જથ્થો સંગ્રહ કરવા માટે ન આપવો અને ઈંધણનું મર્યાદિત વેચાણ કરવું. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ સંચાલક જાણીજોઈને વેચાણ બંધ રાખશે અથવા કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરશે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. મામલતદારે સંચાલકોને માર્ગદર્શન આપ્યું હતું કે ટેકનિકલ ખામી સિવાય કોઈ પણ સંજોગોમાં ઈંધણનું વેચાણ અટકાવવું નહીં.
બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતાને પણ ખાસ અપીલ કરવામાં આવી છે. મામલતદારે જણાવ્યું કે જિલ્લામાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી સોશિયલ મીડિયા પર વહેતી થતી ખોટી અફવાઓથી દોરવાવું નહીં. લોકોને જરૂરિયાત મુજબ જ પેટ્રોલ-ડીઝલ પુરાવવા અને બિનજરૂરી સંગ્રહખોરી ટાળવા વિનંતી કરવામાં આવી છે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે અને દરેક નાગરિકને પૂરતું ઈંધણ મળી રહે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…