સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં સીમ વિસ્તારમાં આવેલી એક વાડીના કૂવામાંથી અજાણ્યા યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. વાડી માલિક જ્યારે ખેતરે ગયા ત્યારે કૂવામાં લાશ તરતી હોવાનું માલૂમ પડ્યું હતું, જેની જાણ તાત્કાલિક સાયલા પોલીસને કરવામાં આવી હતી.
મૃતદેહ અત્યંત કોહવાયેલી હાલતમાં હોવાથી તેને બહાર કાઢવા માટે સુરેન્દ્રનગર નગરપાલિકાની ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
સાયલા પીઆઈ ઉપાધ્યાય અને ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ મૃતદેહને કૂવા બહાર કાઢ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, આ લાશ આશરે 4 થી 5 દિવસ જૂની હોવાનું જણાય છે. હાલ મૃતદેહને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, પરંતુ મોતનું સચોટ કારણ જાણવા માટે પેનલ પીએમ અર્થે રાજકોટ મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.
સાયલા પોલીસે મૃતકની ઓળખ કરવા માટે આસપાસના ગામોમાં ગુમ થયેલા વ્યક્તિઓની વિગતો મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…