સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં સીમ વિસ્તારમાં આવેલી એક વાડીના કૂવામાંથી અજાણ્યા યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. વાડી માલિક જ્યારે ખેતરે ગયા ત્યારે કૂવામાં લાશ તરતી હોવાનું માલૂમ પડ્યું હતું, જેની જાણ તાત્કાલિક સાયલા પોલીસને કરવામાં આવી હતી.
મૃતદેહ અત્યંત કોહવાયેલી હાલતમાં હોવાથી તેને બહાર કાઢવા માટે સુરેન્દ્રનગર નગરપાલિકાની ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
સાયલા પીઆઈ ઉપાધ્યાય અને ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ મૃતદેહને કૂવા બહાર કાઢ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, આ લાશ આશરે 4 થી 5 દિવસ જૂની હોવાનું જણાય છે. હાલ મૃતદેહને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, પરંતુ મોતનું સચોટ કારણ જાણવા માટે પેનલ પીએમ અર્થે રાજકોટ મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.
સાયલા પોલીસે મૃતકની ઓળખ કરવા માટે આસપાસના ગામોમાં ગુમ થયેલા વ્યક્તિઓની વિગતો મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…