ધ્રાંગધ્રાના કુંભારપરા વિસ્તારમાં રહેતા એક ખેડૂત સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડૂત પ્રેમજીભાઈ લકુમને રૂપિયા 6 લાખની જરૂરિયાત હોવાથી તેમણે સ્થાનિક શખ્સ શની લામકાનો સંપર્ક કર્યો હતો.
શની લામકા અને સંજય સરૈયાએ ખેડૂતને નાણાં ઉછીના આપવાના બહાને લખાણ કરવા માટે રજિસ્ટ્રાર કચેરીએ બોલાવ્યા હતા. અહીં ખેડૂતને અંધારામાં રાખી, અંગ્રેજી લખાણ ધરાવતી ‘પાવર ઓફ એટર્ની’ પર સહી કરાવી લેવામાં આવી હતી.
ત્યારબાદ આ શખ્સોએ જમીનનો 25% હિસ્સો સુરેશ રાતડિયાને વેચાણ કરી દીધો હોવાનું બહાર આવ્યું હતું. છેતરપિંડી થઈ હોવાની જાણ થતા ખેડૂતે સેવા સદન ખાતે તકરારી કેસ દાખલ કર્યો હતો. આ મામલે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે (1) શની લામકા, (2) સંજય સરૈયા, (3) સાક્ષી ચંદ્રેશ ગોલતર અને (4) જમીન ખરીદનાર સુરેશ રાતડિયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ ટોળકી વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…