ધ્રાંગધ્રાના કુંભારપરા વિસ્તારમાં રહેતા એક ખેડૂત સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડૂત પ્રેમજીભાઈ લકુમને રૂપિયા 6 લાખની જરૂરિયાત હોવાથી તેમણે સ્થાનિક શખ્સ શની લામકાનો સંપર્ક કર્યો હતો.
શની લામકા અને સંજય સરૈયાએ ખેડૂતને નાણાં ઉછીના આપવાના બહાને લખાણ કરવા માટે રજિસ્ટ્રાર કચેરીએ બોલાવ્યા હતા. અહીં ખેડૂતને અંધારામાં રાખી, અંગ્રેજી લખાણ ધરાવતી ‘પાવર ઓફ એટર્ની’ પર સહી કરાવી લેવામાં આવી હતી.
ત્યારબાદ આ શખ્સોએ જમીનનો 25% હિસ્સો સુરેશ રાતડિયાને વેચાણ કરી દીધો હોવાનું બહાર આવ્યું હતું. છેતરપિંડી થઈ હોવાની જાણ થતા ખેડૂતે સેવા સદન ખાતે તકરારી કેસ દાખલ કર્યો હતો. આ મામલે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે (1) શની લામકા, (2) સંજય સરૈયા, (3) સાક્ષી ચંદ્રેશ ગોલતર અને (4) જમીન ખરીદનાર સુરેશ રાતડિયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ ટોળકી વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…