ધ્રાંગધ્રા નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાં આજથી સત્તાવાર રીતે વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે. ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હવે વહીવટદાર તરીકે નગરપાલિકાનો કાર્યભાર સંભાળશે. આ ફેરફાર સાથે જ તમામ નગરસેવકોના હોદ્દા, સત્તા અને મળતી સરકારી સુવિધાઓનો અંત આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકોમાંથી ભાજપ પાસે 35 અને કોંગ્રેસ પાસે માત્ર 1 બેઠકનું સંખ્યાબળ હતું. 15 માર્ચે ટર્મ પૂર્ણ થતાં હવે વહીવટદારના શાસન હેઠળ માત્ર રોજિંદા અને સામાન્ય વહીવટી નિર્ણયો જ લેવામાં આવશે. રાજકીય વિશ્લેષકોના મતે એપ્રિલ કે મે મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાય તેવી શક્યતા છે, ત્યાં સુધી એટલે કે આશરે દોઢ મહિના સુધી પાલિકાનો વહીવટ પ્રાંત અધિકારીના હસ્તક રહેશે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…