ધ્રાંગધ્રા નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાં આજથી સત્તાવાર રીતે વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે. ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હવે વહીવટદાર તરીકે નગરપાલિકાનો કાર્યભાર સંભાળશે. આ ફેરફાર સાથે જ તમામ નગરસેવકોના હોદ્દા, સત્તા અને મળતી સરકારી સુવિધાઓનો અંત આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકોમાંથી ભાજપ પાસે 35 અને કોંગ્રેસ પાસે માત્ર 1 બેઠકનું સંખ્યાબળ હતું. 15 માર્ચે ટર્મ પૂર્ણ થતાં હવે વહીવટદારના શાસન હેઠળ માત્ર રોજિંદા અને સામાન્ય વહીવટી નિર્ણયો જ લેવામાં આવશે. રાજકીય વિશ્લેષકોના મતે એપ્રિલ કે મે મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાય તેવી શક્યતા છે, ત્યાં સુધી એટલે કે આશરે દોઢ મહિના સુધી પાલિકાનો વહીવટ પ્રાંત અધિકારીના હસ્તક રહેશે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…