Thangadh

થાનગઢઃ નળખંભા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી ઉપર પ્રાંત અધિકારીના દરોડા

ચાર કુવાઓ ઝડપી પાડી અને 16.71 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો..

સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી ચાલી રહી છે પરંતુ તેના ઉપર લગામ લગાવવા માટે પ્રાંત અધિકારી અને પોલીસ વિભાગની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના નળખંભા ગામેગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણો ઉપર દરોડાપાડવામાં આવ્યા છે અને આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાંત અધિકારીની ટીમ દ્વારા દરોડા પાડી અને ચાર જેટલા ગેરકાયદેસર કાર્બોસેલના કુવા ઝડપી પાડવામાં આવ્યા છે

નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ અને તેમની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના `નળખંભા ગામના સર્વે નંબર ૧૦૪, ૧૫૧ વાળી જમીનમાં` આકસ્મિક તપાસણી કરતા તદન ગેરકાયદેસર કોલસાના `૪ (ચાર) કુવાઓ` ઉ૫ર કોલસાનું ખનન,સંગ્રહ, વહન, વેચાણ કરવામાં આવતુ હોવાનું ઘ્યાને આવતા નીચે મુજબ ના વાહનો ઝડપી પાડવામાં આવીયા છે.

અને (૧) ૨ (બે) ટ્રેકટર (૨) ૧ (એક) જનરેટર મશીન (૩) ૨ (બે) કંમ્પ્રેસર મશીન (૪) ૧ (એક) બાઇક (૫) ૩૦ નંગ નાઇટીંગ સુપર પાવર વિસ્ફોટક (૬) ૫૦૦ મીટર ઇલેકટ્રીક વાયર (૭) ૩૦૦ મીટર ઇલેકટ્રીક કેબલ (૮) ૩ (ત્રણ) ચરખી મળી કુલ રૂ.૧૬,૭૧,૦૦૦/- ( અંકે રૂપિયા સોળ લાખ એકોતેર હજાર પૂરા ) નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે..

આ સ્થળ ઉ૫ર હરેશભાઇ લઘાભાઇ બારૈયા, જગાભાઇ કાળુભાઇ બાવળીયા, તેજાભાઇ સવશીભાઇ નાઓ દ્વારા સદર કોલસાના કુવાઓ ખોદવામાં આવતા હતા તે તમામ ઇસમો તેમજ વાહન માલીકો સામે કાર્યવાહી તેમજ લેન્ડગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામે વધુ તપાસ ચાલુ છે જે જે વ્યક્તિઓના નામો સામે આવશે તેઓની વિરુદ્ધ ઉકત કાયદા મુજબ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું છે

ખનીજ ચોરી પર દરોડા બાદ વઘુમાં નળખંભા ગામના સરપંચ અને તલાટી ક્રમ મંત્રી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

સ્થળ ઉ૫ર ગેરકાયદેસર કોલસાનું ખનન કરનાર ઇસમોની વિગત –

(૧) ઘીરુભાઇ તેજાભાઇ કોળી રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ

(૨) રામાભાઇ તેજાભાઇ કોળી રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ

(૩) વિહાભાઇ જગાભાઇ ઘીયડ રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ

(૪) ગભરુભાઇ જગાભાઇ ઘીયડ રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ

(૫) મનુભાઇ જગાભાઇ ઘીયડ રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ

(૬) દિપભાઇ શનીભાઇ દરબાર રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ

(૭) હરેશભાઇ લઘાભાઇ બારૈયા રહે. નાળીયરી રાણીપાટ તાલુકો : મુળી

(૮) જગાભાઇ કાળુભાઇ બાવળીયા રહે. નાળીયરી રાણીપાટ તાલુકો : મુળી

jeet

Recent Posts

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

3 days ago

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

4 days ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

4 days ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

4 days ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

4 days ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

1 week ago