ચાર કુવાઓ ઝડપી પાડી અને 16.71 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો..
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી ચાલી રહી છે પરંતુ તેના ઉપર લગામ લગાવવા માટે પ્રાંત અધિકારી અને પોલીસ વિભાગની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના નળખંભા ગામેગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણો ઉપર દરોડાપાડવામાં આવ્યા છે અને આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાંત અધિકારીની ટીમ દ્વારા દરોડા પાડી અને ચાર જેટલા ગેરકાયદેસર કાર્બોસેલના કુવા ઝડપી પાડવામાં આવ્યા છે
નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ અને તેમની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના `નળખંભા ગામના સર્વે નંબર ૧૦૪, ૧૫૧ વાળી જમીનમાં` આકસ્મિક તપાસણી કરતા તદન ગેરકાયદેસર કોલસાના `૪ (ચાર) કુવાઓ` ઉ૫ર કોલસાનું ખનન,સંગ્રહ, વહન, વેચાણ કરવામાં આવતુ હોવાનું ઘ્યાને આવતા નીચે મુજબ ના વાહનો ઝડપી પાડવામાં આવીયા છે.
અને (૧) ૨ (બે) ટ્રેકટર (૨) ૧ (એક) જનરેટર મશીન (૩) ૨ (બે) કંમ્પ્રેસર મશીન (૪) ૧ (એક) બાઇક (૫) ૩૦ નંગ નાઇટીંગ સુપર પાવર વિસ્ફોટક (૬) ૫૦૦ મીટર ઇલેકટ્રીક વાયર (૭) ૩૦૦ મીટર ઇલેકટ્રીક કેબલ (૮) ૩ (ત્રણ) ચરખી મળી કુલ રૂ.૧૬,૭૧,૦૦૦/- ( અંકે રૂપિયા સોળ લાખ એકોતેર હજાર પૂરા ) નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે..
આ સ્થળ ઉ૫ર હરેશભાઇ લઘાભાઇ બારૈયા, જગાભાઇ કાળુભાઇ બાવળીયા, તેજાભાઇ સવશીભાઇ નાઓ દ્વારા સદર કોલસાના કુવાઓ ખોદવામાં આવતા હતા તે તમામ ઇસમો તેમજ વાહન માલીકો સામે કાર્યવાહી તેમજ લેન્ડગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામે વધુ તપાસ ચાલુ છે જે જે વ્યક્તિઓના નામો સામે આવશે તેઓની વિરુદ્ધ ઉકત કાયદા મુજબ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું છે
ખનીજ ચોરી પર દરોડા બાદ વઘુમાં નળખંભા ગામના સરપંચ અને તલાટી ક્રમ મંત્રી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..
સ્થળ ઉ૫ર ગેરકાયદેસર કોલસાનું ખનન કરનાર ઇસમોની વિગત –
(૧) ઘીરુભાઇ તેજાભાઇ કોળી રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ
(૨) રામાભાઇ તેજાભાઇ કોળી રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ
(૩) વિહાભાઇ જગાભાઇ ઘીયડ રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ
(૪) ગભરુભાઇ જગાભાઇ ઘીયડ રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ
(૫) મનુભાઇ જગાભાઇ ઘીયડ રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ
(૬) દિપભાઇ શનીભાઇ દરબાર રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ
(૭) હરેશભાઇ લઘાભાઇ બારૈયા રહે. નાળીયરી રાણીપાટ તાલુકો : મુળી
(૮) જગાભાઇ કાળુભાઇ બાવળીયા રહે. નાળીયરી રાણીપાટ તાલુકો : મુળી
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…