લીંબડી તાલુકાના રાણાગઢ ગામે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કુલ 20 જેટલા લાભાર્થી માછીમારોને આઈસ પેટી (Ice Box) સાથેની બાઈકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકોને આધુનિક સાધનો પૂરા પાડી તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે.
આઈસ પેટી ધરાવતી આ ખાસ બાઈક દ્વારા માછીમારો પકડેલી માછલીઓને બગડતી અટકાવી શકશે અને ઝડપથી બજાર સુધી પહોંચાડી શકશે, જેનાથી માછલીઓની ગુણવત્તા જળવાઈ રહેશે અને માછીમારોની આવકમાં પણ વધારો થશે.
આ પ્રસંગે રાણાગઢ ગ્રામ પંચાયતના સરપંચ રામભાઈ, ઉપસરપંચ રામભાઈ અને નાનીકઠેચીના પૂર્વ સરપંચ વાલજીભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યોજનાનો લાભ મેળવનાર સ્થાનિક શ્રમિકોએ સરકારની આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…