લીંબડી તાલુકાના રાણાગઢ ગામે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કુલ 20 જેટલા લાભાર્થી માછીમારોને આઈસ પેટી (Ice Box) સાથેની બાઈકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકોને આધુનિક સાધનો પૂરા પાડી તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે.
આઈસ પેટી ધરાવતી આ ખાસ બાઈક દ્વારા માછીમારો પકડેલી માછલીઓને બગડતી અટકાવી શકશે અને ઝડપથી બજાર સુધી પહોંચાડી શકશે, જેનાથી માછલીઓની ગુણવત્તા જળવાઈ રહેશે અને માછીમારોની આવકમાં પણ વધારો થશે.
આ પ્રસંગે રાણાગઢ ગ્રામ પંચાયતના સરપંચ રામભાઈ, ઉપસરપંચ રામભાઈ અને નાનીકઠેચીના પૂર્વ સરપંચ વાલજીભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યોજનાનો લાભ મેળવનાર સ્થાનિક શ્રમિકોએ સરકારની આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…