સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાએ ખેડૂતો અને અગરિયાઓની કમર તોડી નાખી છે. પાટડી ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આ કુદરતી આફતથી થયેલા વ્યાપક નુકસાન અંગે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ભારે પવન અને વરસાદને કારણે ખેડૂતોના તૈયાર થયેલા ઇસબગુલ, ઘઉં, ચણા, વરિયાળી અને રાયડા જેવા પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જેનાથી જગતનો તાત આર્થિક સંકટમાં મુકાયો છે.
બીજી તરફ, કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની હાલત પણ અત્યંત કફોડી બની છે. વાવાઝોડાને કારણે અગરિયાઓએ તૈયાર કરેલું મીઠું ધોવાઈ ગયું છે અને તેમની સોલાર પ્લેટો તેમજ ઝૂંપડીઓને મોટું નુકસાન થયું છે. આ આખી સીઝનની મહેનત પાણીમાં જતાં અગરિયા પરિવારો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
પાટડી ખેડૂત હિત રક્ષક સમિતિએ સરકાર પાસે માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કામગીરી હાથ ધરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતો તેમજ અગરિયાઓ માટે ખાસ સહાય પેકેજ જાહેર કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…