સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાએ ખેડૂતો અને અગરિયાઓની કમર તોડી નાખી છે. પાટડી ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આ કુદરતી આફતથી થયેલા વ્યાપક નુકસાન અંગે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ભારે પવન અને વરસાદને કારણે ખેડૂતોના તૈયાર થયેલા ઇસબગુલ, ઘઉં, ચણા, વરિયાળી અને રાયડા જેવા પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જેનાથી જગતનો તાત આર્થિક સંકટમાં મુકાયો છે.
બીજી તરફ, કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની હાલત પણ અત્યંત કફોડી બની છે. વાવાઝોડાને કારણે અગરિયાઓએ તૈયાર કરેલું મીઠું ધોવાઈ ગયું છે અને તેમની સોલાર પ્લેટો તેમજ ઝૂંપડીઓને મોટું નુકસાન થયું છે. આ આખી સીઝનની મહેનત પાણીમાં જતાં અગરિયા પરિવારો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
પાટડી ખેડૂત હિત રક્ષક સમિતિએ સરકાર પાસે માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કામગીરી હાથ ધરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતો તેમજ અગરિયાઓ માટે ખાસ સહાય પેકેજ જાહેર કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…