સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ખેડૂતોને નિશાન બનાવતી વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. હીરાપુર ગામના ખેડૂત ગોવિંદભાઈ હરિસિંહભાઈ પરમાર દ્વારા નર્મદા કેનાલમાં સિંચાઈ માટે મૂકવામાં આવેલી રૂ. 11,500ની કિંમતની દેડકો મોટરની અજાણ્યા તસ્કરોએ ચોરી કરી છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ખેડૂત હીરાપુરથી રામગઢ માર્ગ પર આવેલી પોતાની ખેતીની જમીનમાં વાવેતરને પાણી પાવા માટે ગયા હતા.
ખેડૂતે જ્યારે સ્વીચ ચાલુ કરી ત્યારે પાઈપમાં પાણી ન આવતા તેમણે કેનાલ પાસે જઈને તપાસ કરી હતી. તપાસ દરમિયાન કેનાલમાં મૂકેલી મોટર ગાયબ હોવાનું જણાતા ચોરી થયાનો અહેસાસ થયો હતો. આર્થિક નુકસાન વેઠનારા ખેડૂતે તાત્કાલિક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પિયતની સીઝન દરમિયાન જ મોટર ચોરાતા ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…