સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ખેડૂતોને નિશાન બનાવતી વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. હીરાપુર ગામના ખેડૂત ગોવિંદભાઈ હરિસિંહભાઈ પરમાર દ્વારા નર્મદા કેનાલમાં સિંચાઈ માટે મૂકવામાં આવેલી રૂ. 11,500ની કિંમતની દેડકો મોટરની અજાણ્યા તસ્કરોએ ચોરી કરી છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ખેડૂત હીરાપુરથી રામગઢ માર્ગ પર આવેલી પોતાની ખેતીની જમીનમાં વાવેતરને પાણી પાવા માટે ગયા હતા.
ખેડૂતે જ્યારે સ્વીચ ચાલુ કરી ત્યારે પાઈપમાં પાણી ન આવતા તેમણે કેનાલ પાસે જઈને તપાસ કરી હતી. તપાસ દરમિયાન કેનાલમાં મૂકેલી મોટર ગાયબ હોવાનું જણાતા ચોરી થયાનો અહેસાસ થયો હતો. આર્થિક નુકસાન વેઠનારા ખેડૂતે તાત્કાલિક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પિયતની સીઝન દરમિયાન જ મોટર ચોરાતા ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…