સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ખેડૂતોને નિશાન બનાવતી વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. હીરાપુર ગામના ખેડૂત ગોવિંદભાઈ હરિસિંહભાઈ પરમાર દ્વારા નર્મદા કેનાલમાં સિંચાઈ માટે મૂકવામાં આવેલી રૂ. 11,500ની કિંમતની દેડકો મોટરની અજાણ્યા તસ્કરોએ ચોરી કરી છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ખેડૂત હીરાપુરથી રામગઢ માર્ગ પર આવેલી પોતાની ખેતીની જમીનમાં વાવેતરને પાણી પાવા માટે ગયા હતા.
ખેડૂતે જ્યારે સ્વીચ ચાલુ કરી ત્યારે પાઈપમાં પાણી ન આવતા તેમણે કેનાલ પાસે જઈને તપાસ કરી હતી. તપાસ દરમિયાન કેનાલમાં મૂકેલી મોટર ગાયબ હોવાનું જણાતા ચોરી થયાનો અહેસાસ થયો હતો. આર્થિક નુકસાન વેઠનારા ખેડૂતે તાત્કાલિક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પિયતની સીઝન દરમિયાન જ મોટર ચોરાતા ખેડૂતની મુશ્કેલીમાં વધારો થયો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…