સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાએ ખેડૂતો અને અગરિયાઓની કમર તોડી નાખી છે. પાટડી ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આ કુદરતી આફતથી થયેલા વ્યાપક નુકસાન અંગે ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ભારે પવન અને વરસાદને કારણે ખેડૂતોના તૈયાર થયેલા ઇસબગુલ, ઘઉં, ચણા, વરિયાળી અને રાયડા જેવા પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જેનાથી જગતનો તાત આર્થિક સંકટમાં મુકાયો છે.
બીજી તરફ, કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની હાલત પણ અત્યંત કફોડી બની છે. વાવાઝોડાને કારણે અગરિયાઓએ તૈયાર કરેલું મીઠું ધોવાઈ ગયું છે અને તેમની સોલાર પ્લેટો તેમજ ઝૂંપડીઓને મોટું નુકસાન થયું છે. આ આખી સીઝનની મહેનત પાણીમાં જતાં અગરિયા પરિવારો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
પાટડી ખેડૂત હિત રક્ષક સમિતિએ સરકાર પાસે માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કામગીરી હાથ ધરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતો તેમજ અગરિયાઓ માટે ખાસ સહાય પેકેજ જાહેર કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
ધ્રાંગધ્રા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સિટી પોલીસ એક્શન મોડમાં આવી છે. ધ્રાંગધ્રા સીટી…
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાયલા તાલુકાના વખતપર ગામના…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનો રણકાંઠા વિસ્તાર ભૌગોલિક પરિસ્થિતિને કારણે શિક્ષણ ક્ષેત્રે આજે પણ પડકારોનો સામનો…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં…
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ધ્રાંગધ્રા…
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ રેલવે સ્ટેશન પર મુસાફરોને પાયાની સુવિધાઓ માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો…