પાટડી જન જાગૃતિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બામણવા ગામે આંગણવાડી તથા આશાવર્કર બહેનોને સાડી વિતરણ.
પાટડી: જન જાગૃતિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાટડી તાલુકાના બામણવા ગામે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી અને આશાવર્કર બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જયાબેન ચાવડા અને દિનેશભાઈ ચાવડા તથા તેમની ટીમે આ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડીના બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવાનો, ગામને વ્યસનમુક્ત બનાવવાનો અને શિક્ષણ ક્ષેત્રે બાળકોને આગળ વધારવાનો હતો. આ પ્રસંગે ગાંધીનગર માહિતી વિભાગના પૂર્વ અધિકારી ભાનુભાઈ દવે, ધારાસભ્ય પી.કે.પરમાર સહિત આંગણવાડી અને આશાવર્કર બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટની આ પહેલને ગામ લોકોએ આવકારી હતી. આ કાર્યક્રમ થકી ટ્રસ્ટે સમાજ ઉત્થાન અને જાગૃતિનો સંદેશો ફેલાવ્યો છે.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…