Chotila

ચોટીલા વાયર ચોરીનો કેસ ઉકેલાયો: LCBએ મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા

ચોટીલા વાયર ચોરીનો ભેદ ઉકેલાયો: LCB એ રૂ. ૮૦,૫૦૦ના મુદ્દામાલ સાથે ૩ આરોપીઓને ઝડપી લીધા

સુરેન્દ્રનગર: LCB એ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના સિધ્ધનાથ જીનમાં થયેલી વાયર ચોરીના એક અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે.

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવી, અનડિટેક્ટ ગુનાઓ તાત્કાલિક ડીટેક્ટ કરવા માટે એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના I/C પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.એ. રાયમાની ટીમોએ અસરકારક કામગીરી જોવા મળી છે.

પોલીસે ચોક્કસ બાતમીના આધારે, એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ ઈસમોને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરી કરેલો આશરે ૧૦૦ કી.ગ્રા. તાંબાનો વાયર જેની કિંમત રૂ. ૭૦,૦૦૦ હજાર તથા રૂ. ૧૦,૫૦૦ ના ૩ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૮૦,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે સુરેશભાઈ મનસુખભાઇ માથાસુરીયા (રહે. થાનગઢ), હમીરભાઇ ધનજીભાઇ માથાસુરીયા (રહે. દેવસર, ચોટીલા), ગજુભાઇ ઉર્ફે સુરેશભાઇ બચુભાઇ સોલંકી (રહે. મોરબી) ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ ઈસમોને ચોટીલા પોલીસ માથકે સોંપી દેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago