Categories: Dasada-Patdi

પાટડી: ખેડૂત સહાયના આંકડા મામલે TDOને 10 દિવસનું અલ્ટીમેટમ

2024માં કેટલા ખેડૂતોને સહાય ચૂકવામાં આવી તેની વિગત માંગવામાં આવતા તાલુકા વિકાસ અધિકારી પાસે પણ વિગત ન હોવાનું સામે આવ્યું..

10 દિવસનું ખેડૂતોએ આપ્યું અલ્ટીમેટમ – આંકડાઓ સાથે વંચિત ખેડૂતોને સહાય ચૂકવવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા ચીમકી.

2024 ના વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક વરસાદ પડ્યો અને અતિવૃષ્ટિના કારણે કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું ત્યારે સરકાર દ્વારા 1400 કરોડથી વધુનું આર્થિક નુકસાન વળતર પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા હતા.

પ્રથમ તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાના 2024 ના વર્ષ માં કપાસ મગફળી સહિતના પાકોને વરસાદના કારણે જે નુકસાન પહોંચ્યું જેમાં 1.68 લાખ ખેડૂતો દ્વારા નુકસાનીની સહાય મેળવવા માટે સરકારમાં ફોર્મ ભરવામાં આવ્યા જેમાં પ્રથમ તબક્કામાં સરકાર દ્વારા 93,125 જેટલી અરજીઓ માન્ય રાખવામાં આવી અને સહાયની રકમની ચુકવણી પણ પૂર્ણ કરવામાં આવી પરંતુ 74,966 જેટલા ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા હતા જેને લઇને ખેડૂતોએ વારંવાર રજૂઆત બાદ અંતે સરકાર દ્વારા નિર્ણય કરી અને નવો પરિપત્ર જાહેર કરી અને કપાસના પાકને નુકસાન હોય તેવા ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો હતો.

પરંતુ નિર્ણય બાદ પણ કપાસના વાવેતર કરનાર અને નુકસાન પહોંચનાર ખેડૂતોના ખાતામાં સહાયની રકમ નથી જમા થઈ તેવો આક્ષેપ ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે આ સંદર્ભે સમિતિ દ્વારા પ્રથમ વખત સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારી પાસે 2024 ના વર્ષમાં નુકસાન અંગેના ખેડૂતોને સહાયની રકમ ચૂકવવામાં આવી છે તેના આંકડાઓ માંગવામાં આવ્યા પરંતુ ખેતીવાડી અધિકારી દ્વારા આંકડાઓ આપવામાં ન આવતા અંતે તાલુકા વિકાસ અધિકારી પાટડી સમક્ષ પણ પાટડી તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને 2024 ના વર્ષમાં ચૂકવવામાં આવેલી સહાયના આંકડાઓ માંગવામાં આવ્યા છે.

પરંતુ તાલુકા વિકાસ અધિકારી પાસે પણ આંકડાઓ ન હોવાના કારણે ખેડૂત રક્ષક સમિતિ દ્વારા 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે દસ દિવસમાં પાટડીના ખેડૂતોને ચૂકવવામાં આવેલી 2024 ની સહાયના આંકડાઓ રજૂ કરવામાં આવે અને વંચિત રહી ગયેલા ખેડૂતોને પણ યાદી જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જો યાદી આપવામાં નહીં આવે તો કાયદેસર કાર્યવાહી કરવાની ચીમકી પણ ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આપવામાં આવી છે.

jeet

Recent Posts

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

3 days ago

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

4 days ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

4 days ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

4 days ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

4 days ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

1 week ago