Chotila

ચોટીલામાં વ્યાજખોરો લોન મેળો અને જન સંપર્ક સભા યોજાઈ

ચોટીલા-રાજકોટ હાઈવે પર આવેલી ચામુંડા ધર્મશાળા ખાતે ચોટીલા પોલીસ ડિવિઝન દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરનારા વ્યાજખોરો વિરુદ્ધ એક વિશેષ જન સંપર્ક સભા અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં થાન, ચોટીલા અને આણંદપુર વિસ્તારના 150 થી વધુ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વ્યાજખોરોના શારીરિક અને માનસિક ત્રાસથી પીડાતા લોકોએ પોલીસ અધિકારીઓ સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી હતી. જેને ધ્યાને લઈ Dysp સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પીડિતોને વ્યાજખોરો સામે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

વ્યાજની ચુંગાલમાં ફસાયેલા લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સ્થળ પર વિવિધ બેંકોના મેનેજરોની ઉપસ્થિતિમાં લોન મેળો યોજાયો હતો. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ લોકોને સરળતાથી અને કાયદેસરની લોન ઉપલબ્ધ કરાવી વ્યાજખોરોથી બચાવવાનો હતો.

બેંક અધિકારીઓએ પાત્રતા ધરાવતા અરજદારોને તાત્કાલિક લોન મળે તે માટે પ્રક્રિયા હાથ ધરી હતી. પોલીસ તંત્રના આ પ્રજાલક્ષી અભિગમથી સ્થાનિકોમાં વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. કાર્યક્રમમાં પીઆઈ અને પીએસઆઈ સહિતના અધિકારીઓએ લોકોને કોઈપણ ડર વગર પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago