Surendranagar

મૂળીમાં 300થી વધુ ખેત મજૂરોની વિશાળ રેલી: પાક નુકસાનીમાં ‘ભાગિયા’ મજૂરોને સહાય આપવા માંગ

સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાના કારણે ખેતરમાં ઉભા પાકને થયેલા નુકસાન મામલે પાક નુકસાનીની સહાય ચુકવવાની માંગ સાથે ૩૦૦ જટેલા ખેત મજૂરો મુળીમાં રેલી કાઢી હતી અને સુત્રોચ્ચાર કરી મામલતદારને આવેન આપ્યું હતું. ખેત મજૂરોએ કહ્યું કે સરકારે ખેડૂતોને રૂ. ૧૦ હજાર કરોડનું પેકેજ આપ્યું પણ રાત-દિવ્ય પરસેવો પાડતા મજૂરો હજુ વંચિત કેમ રખાયા. સરકાર ખેડૂતોની જેમ અલગ બજેટ ફાળવવા માંગ કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર માસમાં થયેલા અનરાધાર વરસાદ અને અતિવૃષ્ટિ જેવી સ્થિતિએ કૃષિ ક્ષેત્રને પાયમાલ કરી દીધું હતું. કપાસ, તલ, મગફળી અને શાકભાજી જેવા તૈયાર પાકો પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોની સાથે સાથે ખેત મજૂરોની આજીવિકા પર પણ મોટો ફટકો પડયો હતો. ખેડૂતોની રજૂઆતો બાદ રાજ્ય સરકાર દ્વારા અંદાજે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું આથક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લાના આશરે ૧.૯૦ લાખ ખેડૂતોને આ સહાય ચૂકવવાની પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે, પરંતુ ખેતરોમાં ભાગવી ખેતી કરતા હજારો ખેત મજૂરો આ સહાયથી સંપૂર્ણપણે વંચિત રહી ગયા છે, જેને લઈને હવે રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મધ્યપ્રદેશ, ગોધરા અને મહારાષ્ટ્ર જેવા વિસ્તારોમાંથી હજારો શ્રમિકો આવીને ‘ભાગવી ખેતી’ કરે છે. સામાન્ય રીતે આ પદ્ધતિમાં ૭૦ ટકા હિસ્સો ખેડૂતનો અને ૩૦ ટકા હિસ્સો મજૂરનો હોય છે. જ્યારે પાક નિષ્ફળ જાય છે, ત્યારે મજૂરોની મહેનત અને તેમના ભાગે આવતી આવક બંનેમાંથી હાથ દોવાનો વારો આવે છે. જિલ્લામાં આવા ૧૦,૦૦૦થી વધુ ખેત મજૂરો છે જેમના અસ્તિત્વ સામે સવાલ ઊભો થયો છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે મૂળી તાલુકામાં ૩૦૦થી વધુ ખેત મજૂરોએ એકત્રિત થઈ વિશાળ રેલી યોજી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી આ રેલીમાં મજૂરોએ સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

સરકાર ખેત મજૂરો માટે અલગથી બજેટ ફાળળેઃ મજૂર આગેવન ખેત મજૂર આગેવાન અજય ભુરિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘સરકારે ખેડૂતો માટે તિજોરી ખોલી છે તે આવકાર્ય છે, પરંતુ જે મજૂર ૩૦ ટકાના ભાગે આખું વર્ષ ખેતરમાં મહેનત કરે છે તેના માટે કોઈ વિચારણા કરવામાં આવી નથી. સરકાર મજૂરો માટે અલગથી બજેટ ફાળવે તેવી અમારી માંગ છે.’ આ લડતમાં ખેડૂતોએ પણ મજૂરોને સમર્થન આપ્યું છે.

વળતર નહીં ચૂકવે તો ભવિષ્યમાં ખેત મજૂરો નહીં મળેઃ ખેડૂત અગ્રણી ખેડૂત અગ્રણી અશોક પટેલે જણાવ્યું કે, ખેત મજૂરોની હાલત ચાલુ વર્ષે અત્યંત ખરાબ છે, જો તેમને વળતર નહીં મળે તો આગામી સમયમાં ખેતીકામ માટે મજૂરો મળવા મુશ્કેલ બનશે. જો સરકાર આગામી દિવસોમાં મજૂરો માટે હકારાત્મક નિર્ણય નહીં લે તો આ આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

user 2

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago