સુરેન્દ્રનગરમાં વસતા પરમાર પરિવાર દ્વારા શિક્ષણ અને સંગઠનને પ્રોત્સાહન આપવાના હેતુથી ચોથા ઇનામ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સતવારા પરા સ્થિત જૂની ભોજન શાળા ખાતે રવિવારના રોજ આ પ્રસંગ ઉત્સાહભેર ઉજવાયો હતો.
આ કાર્યક્રમમાં પરમાર પરિવારના શૈક્ષણિક ક્ષેત્રે ઝળકેલા રત્નોને બિરદાવવામાં આવ્યા હતા. જે અંતર્ગત:ધોરણ 5 થી 12 ના કુલ 48 વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા.વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધે અને ભવિષ્યમાં વધુ પ્રગતિ કરે તેવા હેતુ સાથે આ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા માટે પરિવારના અગ્રણીઓ અને દાતાઓએ જહેમત ઉઠાવી હતી.શિલ્ડના દાતા પ્રવિણભાઇ પરમાર, કાંતીભાઇ માસ્તર, મહાદેવભાઇ પરમાર, ભગવાનભાઇ પરમાર, અને જગદિશભાઇ પરમાર સહિત સમગ્ર પરિવારે આર્થિક અને સામાજિક યોગદાન આપ્યું હતું. આ અવસરે આધ્યાત્મિક ક્ષેત્રના અગ્રણી એવા શક્તિમાના ભુવા દયારામ બાપા તથા મહાકાળીમાના ભુવા ગોવિંદભાઇનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.ઇનામ વિતરણ બાદ સમૂહ ભોજન (પ્રસાદ)નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરમાર પરિવારના 3000થી વધુ સભ્યોએ હાજરી આપી પ્રસાદનો લાભ લીધો હતો અને પરસ્પર સ્નેહમિલન ગોષ્ઠી કરી હતી.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…