Categories: Uncategorized

પાંચ વર્ષથી નાસતા-ફરતા ‘ખૂનની કોશિશ’ના આરોપીને LCB એ ધ્રાંગધ્રા ખાતેથી દબોચ્યો

સુરેન્દ્રનગર : જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના અને ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવાના અભિયાનના ભાગરૂપે, LCB સુરેન્દ્રનગરની ટીમે છેલ્લા પાંચ વર્ષથી ‘ખૂનની કોશિશ’ ના ગુંન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.

પાંચ વર્ષથી નાસતા-ફરતા ‘ખૂનની કોશિશ’ના આરોપીને LCB એ ધ્રાંગધ્રા ખાતેથી ઝડપી લીધો છે. LCB સ્ટાફના એ.એસ.આઇ. અસ્લમખાન અયુબખાન મલેકને હ્યુમન અને ટેકનિકલ સોર્સ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે યુવરાજસિંહ ઉર્ફે પપ્પુભાઇ મહેન્દ્રસિંહ ઝાલા (ઉં.વ. ૪૨, રહે. મયુરભવન, નરશીપરા, ધ્રાંગધ્રા)ને ધ્રાંગધ્રા સિટી બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

ઝડપાયેલ શખ્સ યુવરાજસિંહ ઝાલા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ખૂનની કોશિશ અને અન્ય કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં પાંચ વર્ષથી ફરાર હતો. ઝડપાયેલ ઈસમ નિવૃત્ત આર્મીમેન ખેતીનો વ્યવસાય કરતો હોવાનું જાણવા મળ્યું છે.LCB દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી શખ્સનો કબજો ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

jeet

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago