Categories: Surendranagar

વઢવાણ હેરિટેજ સિટીની પૌરાણિક ઇમારતો બની ખંડેર

જાળવણીના અભાવે વઢવાણ ફરતે આવેલો ઐતિહાસિક ગઢ તૂટી રહ્યો છે..

આ ઉપરાંત ઐતિહાસિક ઈમારતો પણ જાળવણીના અભાવે બની રહી છે જર્જરિત..

વઢવાણમાં આવેલી વાવો દરવાજાઓ અને ઐતિહાસિક મંદિરો પણ બની ગયા છે ખંડેર..

વઢવાણ એક ઐતિહાસિક ગામ તરીકે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રસ્થાપિત થયેલું છે જેમાં વઢવાણમાં બનાવવામાં આવેલો પૌરાણિક કિલ્લો અલગ અલગ પ્રકારની પૌરાણિક વાવો ઐતિહાસિક ઇમારતો અને વઢવાણ ફરતે આવેલ ગઢ અને ઐતિહાસિક મંદિરો નો વિશાળ વારસો વઢવાણ શહેર ધરાવી રહ્યું છે પરંતુ તેની જાળવણીના અભાવના કારણે હાલમાં રાજા રજવાડાઓ દ્વારા બંધાવવામાં આવેલા ઐતિહાસિક ઇમારતો છે તે જર્જરીત બની જઈ રહી છે અને ઐતિહાસિક વારસાની જાળવણી કરવાની માંગ હવે ઉગ્ર બનતી જઈ રહી છે.

વઢવાણ ફરતે ગઢ આવેલો છે એક સમયે વઢવાણની રક્ષા માટે આ ગઢનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ હાલ ગઢ ઉપર ઇમારતો ઊભી કરી નાખવામાં આવી છે તો બીજી તરફ જે સ્થળે ગઢ છે ત્યાં ગઢના પથરા તૂટી ગયેલી હાલતમાં છે તેના રીનોવેશન પાછળ વિચારણા કરવામાં આવે તે જરૂરી છે કારણ કે સૌથી પૌરાણિક ગઢનો પૈકીનો સૌરાષ્ટ્રનો આ ગઢ વઢવાણ ફરતે આવેલો ગઢ ગણવામાં આવે છે તેની જાળવણી જરૂરી છે.

બીજી તરફ ગંગાવાવ અને માધાવાવ જેવી વાવો પણ આવેલી છે ત્યાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જાળવણી કરવામાં આવતી નથી જેને લઇને વાવો પણ જર્જરીત બની ગઈ છે અનેક વખત પુરાતત્વ વિભાગ મહાનગરપાલિકા તેમજ કલેકટર કચેરીમાં સ્થાનિક લોકો અને વઢવાણ વાસીઓ દ્વારા લેખિતમાં રજૂઆત કરી અને વાવ ની જાળવણી કરવાની માંગ કરવામાં આવી છે તે છતાં પણ તંત્ર તેની સામું જોવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક સમયે પાણીની અછત હતી ત્યારે વધવા સ્ટેટ દ્વારા આ વાવ નિર્માણ કરવામાં આવી હતી અને સમગ્ર સુરેન્દ્રનગરને એક સમયે પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું તે વાવ પણ હાલ જર્જરીત બની ગઈ છે..

વઢવાણમાં દરવાજાઓ અને બારી પણ આવેલી છે તેની હાલત પણ દૈન્ય છે સુરેન્દ્રનગરનું વઢવાણ હેરિટેજ સિટી તરીકે વિકસાવા માટેના પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે પરંતુ તે છતાં પણ જે ઐતિહાસિક ઈમારતો છે તે જર્જરીત બની ગઈ છે રાણકદેવીનું મંદિર આવેલું છે ત્યાં પણ ચોમાસા દરમિયાન વરસાદનું પાણી અંદર મંદિરમાં પડી રહ્યું છે નજીકમાં પૌરાણિક મંદિરો પણ આવેલા છે ત્યાં પણ જાળવણીના અભાવના કારણે આ મંદિરો ખંઢેર બનતા જઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ મુદ્દે વિચારણા કરી અને વઢવાણના ઐતિહાસિક વારસાને જાળવી રાખવાના પ્રયત્ન કરવામાં આવે તેવી લોકમાં ગોઠવા પામે છે..

● વઢવાણ હેરિટેજ સિટી તરીકે વિકસાવા મહાનગરપાલિકા 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે – સર્વે કામગીરી શરૂ કરવામાં આવશે..

રાણકદેવીનું મંદિર મહાવીર સ્વામી ના પગલાં તેમજ ગંગાવાવ માધાવાવ તેમજ ભોગાવો નદી અને વઢવાણ ફરતે આવેલો ગઢ અને પૌરાણિક મંદિરો અને જુના ઐતિહાસિક વારસા વઢવાણમાં આવેલા છે તેની જાળવણી પાછળ મહાનગરપાલિકા દ્વારા 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે હાલ સર્વે માટેની ટીમો કામે લગાવવામાં આવશે તેવું પણ મહાનગરપાલિકાના કમિશનર ડો.નવનાથ ગૌવ્હાણે દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે વઢવાણ માં આવેલા તમામ ઐતિહાસિક સ્થળોને વિકસાવવા માટેની વિચારણા પણ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે પ્રથમ વખત 25 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ સરકારમાં રજૂ કરી અને વઢવાણ ઐતિહાસિક ગામ તરીકે વિકસે તે પ્રકારના પ્રયાસો મહાનગરપાલિકા દ્વારા હવે શરૂ કરવામાં આવ્યા છે..

jeet

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago