Categories: Surendranagar

વઢવાણ હેરિટેજ સિટીની પૌરાણિક ઇમારતો બની ખંડેર

જાળવણીના અભાવે વઢવાણ ફરતે આવેલો ઐતિહાસિક ગઢ તૂટી રહ્યો છે..

આ ઉપરાંત ઐતિહાસિક ઈમારતો પણ જાળવણીના અભાવે બની રહી છે જર્જરિત..

વઢવાણમાં આવેલી વાવો દરવાજાઓ અને ઐતિહાસિક મંદિરો પણ બની ગયા છે ખંડેર..

વઢવાણ એક ઐતિહાસિક ગામ તરીકે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રસ્થાપિત થયેલું છે જેમાં વઢવાણમાં બનાવવામાં આવેલો પૌરાણિક કિલ્લો અલગ અલગ પ્રકારની પૌરાણિક વાવો ઐતિહાસિક ઇમારતો અને વઢવાણ ફરતે આવેલ ગઢ અને ઐતિહાસિક મંદિરો નો વિશાળ વારસો વઢવાણ શહેર ધરાવી રહ્યું છે પરંતુ તેની જાળવણીના અભાવના કારણે હાલમાં રાજા રજવાડાઓ દ્વારા બંધાવવામાં આવેલા ઐતિહાસિક ઇમારતો છે તે જર્જરીત બની જઈ રહી છે અને ઐતિહાસિક વારસાની જાળવણી કરવાની માંગ હવે ઉગ્ર બનતી જઈ રહી છે.

વઢવાણ ફરતે ગઢ આવેલો છે એક સમયે વઢવાણની રક્ષા માટે આ ગઢનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ હાલ ગઢ ઉપર ઇમારતો ઊભી કરી નાખવામાં આવી છે તો બીજી તરફ જે સ્થળે ગઢ છે ત્યાં ગઢના પથરા તૂટી ગયેલી હાલતમાં છે તેના રીનોવેશન પાછળ વિચારણા કરવામાં આવે તે જરૂરી છે કારણ કે સૌથી પૌરાણિક ગઢનો પૈકીનો સૌરાષ્ટ્રનો આ ગઢ વઢવાણ ફરતે આવેલો ગઢ ગણવામાં આવે છે તેની જાળવણી જરૂરી છે.

બીજી તરફ ગંગાવાવ અને માધાવાવ જેવી વાવો પણ આવેલી છે ત્યાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જાળવણી કરવામાં આવતી નથી જેને લઇને વાવો પણ જર્જરીત બની ગઈ છે અનેક વખત પુરાતત્વ વિભાગ મહાનગરપાલિકા તેમજ કલેકટર કચેરીમાં સ્થાનિક લોકો અને વઢવાણ વાસીઓ દ્વારા લેખિતમાં રજૂઆત કરી અને વાવ ની જાળવણી કરવાની માંગ કરવામાં આવી છે તે છતાં પણ તંત્ર તેની સામું જોવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક સમયે પાણીની અછત હતી ત્યારે વધવા સ્ટેટ દ્વારા આ વાવ નિર્માણ કરવામાં આવી હતી અને સમગ્ર સુરેન્દ્રનગરને એક સમયે પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું તે વાવ પણ હાલ જર્જરીત બની ગઈ છે..

વઢવાણમાં દરવાજાઓ અને બારી પણ આવેલી છે તેની હાલત પણ દૈન્ય છે સુરેન્દ્રનગરનું વઢવાણ હેરિટેજ સિટી તરીકે વિકસાવા માટેના પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે પરંતુ તે છતાં પણ જે ઐતિહાસિક ઈમારતો છે તે જર્જરીત બની ગઈ છે રાણકદેવીનું મંદિર આવેલું છે ત્યાં પણ ચોમાસા દરમિયાન વરસાદનું પાણી અંદર મંદિરમાં પડી રહ્યું છે નજીકમાં પૌરાણિક મંદિરો પણ આવેલા છે ત્યાં પણ જાળવણીના અભાવના કારણે આ મંદિરો ખંઢેર બનતા જઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આ મુદ્દે વિચારણા કરી અને વઢવાણના ઐતિહાસિક વારસાને જાળવી રાખવાના પ્રયત્ન કરવામાં આવે તેવી લોકમાં ગોઠવા પામે છે..

● વઢવાણ હેરિટેજ સિટી તરીકે વિકસાવા મહાનગરપાલિકા 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે – સર્વે કામગીરી શરૂ કરવામાં આવશે..

રાણકદેવીનું મંદિર મહાવીર સ્વામી ના પગલાં તેમજ ગંગાવાવ માધાવાવ તેમજ ભોગાવો નદી અને વઢવાણ ફરતે આવેલો ગઢ અને પૌરાણિક મંદિરો અને જુના ઐતિહાસિક વારસા વઢવાણમાં આવેલા છે તેની જાળવણી પાછળ મહાનગરપાલિકા દ્વારા 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે હાલ સર્વે માટેની ટીમો કામે લગાવવામાં આવશે તેવું પણ મહાનગરપાલિકાના કમિશનર ડો.નવનાથ ગૌવ્હાણે દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે વઢવાણ માં આવેલા તમામ ઐતિહાસિક સ્થળોને વિકસાવવા માટેની વિચારણા પણ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે પ્રથમ વખત 25 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ સરકારમાં રજૂ કરી અને વઢવાણ ઐતિહાસિક ગામ તરીકે વિકસે તે પ્રકારના પ્રયાસો મહાનગરપાલિકા દ્વારા હવે શરૂ કરવામાં આવ્યા છે..

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

2 weeks ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

2 weeks ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

2 weeks ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

2 weeks ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

2 weeks ago