લખતર-વિરમગામ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. આજે સવારે લખતર અને કડુ ગામ વચ્ચે આવેલા ગેથળા હનુમાનજી મંદિર પાસે એક આઈશર અને બોલેરો પીકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરથી કેરી ભરીને વિરમગામ તરફ જઈ રહેલી બોલેરો પીકઅપ ગાડી રોડની સાઈડમાં ઉભેલા આઈશર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ આઈશર પંચર પડવાના કારણે હાઈવે પર ઉભું રાખવામાં આવ્યું હતું.
આ અકસ્માતમાં બોલેરો ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. લખતર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માત અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…