લખતર-વિરમગામ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. આજે સવારે લખતર અને કડુ ગામ વચ્ચે આવેલા ગેથળા હનુમાનજી મંદિર પાસે એક આઈશર અને બોલેરો પીકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરથી કેરી ભરીને વિરમગામ તરફ જઈ રહેલી બોલેરો પીકઅપ ગાડી રોડની સાઈડમાં ઉભેલા આઈશર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ આઈશર પંચર પડવાના કારણે હાઈવે પર ઉભું રાખવામાં આવ્યું હતું.
આ અકસ્માતમાં બોલેરો ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. લખતર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માત અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…