Chotila

ચોટીલાના અકાળા ગામે પત્ની સાથેના આડા સંબંધના મનદુઃખમાં યુવકની હત્યા

ચોટીલા તાલુકાના અકાળા ગામે એક હૃદયદ્રાવક હત્યાની ઘટના સામે આવી છે. પત્ની સાથેના આડા સંબંધના જૂના મનદુઃખમાં બે શખ્સોએ ભેગા મળીને એક યુવકની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં અરવિંદભાઈ ઉર્ફે મનસુખભાઈ પરાલીયા નામના યુવકનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે તેમની સાથે રહેલા દેવકરણભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, મૃતક અરવિંદભાઈ અને દેવકરણભાઈ મોટરસાયકલ પર વાડીએથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અરવિંદભાઈ ઉર્ફે એભલભાઈ રાજાભાઈ પરાલીયા અને વિપુલ ઉર્ફે વેલાભાઈ લાલાભાઇ પરાલીયાએ તેમને રસ્તામાં આંતર્યા હતા. હુમલાખોરોએ લાકડી અને છરી જેવા ધારદાર હથિયારો વડે અરવિંદભાઈ પર તૂટી પડ્યા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ અને છરીના ઘા વાગવાના કારણે અરવિંદભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ગમખ્વાર કૃત્ય આચર્યા બાદ બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આશરે 5 થી 6 વર્ષ પહેલા મૃતકની પત્ની જશુબેન સાથે આરોપી અરવિંદ ઉર્ફે એભલભાઈને આડા સંબંધો હતા. જે બાબતે તે સમયે મોટો ઝઘડો થયો હતો. આ જૂની અદાવત રાખીને જ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલ પોલીસે બંને હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ તેજ કરી છે.

User 3

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…

4 days ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…

4 days ago

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…

4 days ago

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…

4 days ago

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…

4 days ago

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…

4 days ago