સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલી તનમનીયા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ‘પ્રગતિ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ ખાસ અવસરે શાળાના વિદ્યાર્થીઓએ પોતાની અંદર રહેલી વિવિધ કલા અને શક્તિઓનું પ્રદર્શન કરી ઉપસ્થિત મહેમાનો તેમજ ગ્રામજનોના દિલ જીતી લીધા હતા.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન કુલ 18 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં સરસ્વતી વંદના, લોકનૃત્ય, સામાજિક નાટક, દેશભક્તિ ગીતો અને ખાસ આકર્ષણ રૂપ ‘યોગા વિથ ડાન્સ’નો સમાવેશ થાય છે.
બાળકો દ્વારા રજૂ કરાયેલા સાહસિક પિરામિડ્સ જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન શિક્ષણ અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 10 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું SMC સભ્યો અને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી, જેમાં શિક્ષક સંઘના પ્રમુખ બ્રીજરાજસિંહ, મંત્રી કનુભાઈ, ગામના સરપંચ, તલાટી અવનીબેન અને CRC જૈમીનીબેન પટેલ સહિત લખતર ક્લસ્ટર-2 ના આચાર્યો હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય વિસાણીયા જાગૃતિબેન જે. ના માર્ગદર્શન હેઠળ અને સ્ટાફ મિત્રોના સહયોગથી આ મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…