સુરેન્દ્રનગર જિલ્લામાં નદીઓ પરના પુલોની હાલત દયનીય બની છે, જેમાં મૂળી તાલુકાની ભોગાવો નદી પરનો પુલ હવે અત્યંત જર્જરિત થઈ ગયો છે. સરા, થાનગઢ અને વાંકાનેર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલો આ પુલ પાયામાંથી ડેમેજ થયો છે અને તેના પિલરોમાં લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે. પુલના ઉપરના ભાગેથી સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા હોવા છતાં, હજારો વાહનચાલકો આ જોખમી પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. હાલમાં નદી પાણીથી ભરેલી હોવાથી જો કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે.
આ ગંભીર સમસ્યા અંગે તંત્રના અધિકારીઓનું કહેવું છે કે નવા પુલના નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરી રહ્યા ન હોવાથી કામગીરી અટકી પડી છે. બીજી તરફ, આ પુલ પરથી દરરોજ એસટી બસો, ખાનગી લક્ઝરીઓ, વિદ્યાર્થીઓ ભરેલા વાહનો અને ખેડૂતોના માલવાહક ટ્રેક્ટરો પસાર થઈ રહ્યા છે. સ્થાનિક રહીશોની માંગ છે કે તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોયા વગર તાકીદે જાગે અને આ જર્જરિત પુલના નવીનીકરણનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…