સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. 6 એપ્રિલ 2026 ના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંભવિત ઉમેદવારોએ અત્યારથી જ ડોક્યુમેન્ટ્સ એકત્રિત કરવાની કામગીરી તેજ કરી દીધી છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે હાઉસ ટેક્સ, શૌચાલયના દાખલા અને સંતાનોની સંખ્યા દર્શાવતા પ્રમાણપત્રો કઢાવવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. 11 એપ્રિલ સુધીમાં ફોર્મ ભરવાના હોવાથી રજાના દિવસોમાં પણ તૈયારીઓ ચાલી રહી છે.
ચૂંટણી પંચના નિયમ મુજબ, ઉમેદવારી નોંધાવવા માટે કુલ 9 પ્રકારના મહત્વના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. જેમાં જાતિનું પ્રમાણપત્ર, ક્લિયર હાઉસ ટેક્સની પહોંચ, શૌચાલય હોવા અંગેનો દાખલો, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અને સંતાનો અંગેનું સોગંદનામું મુખ્ય છે.
મહાનગરપાલિકામાં એક જ દિવસમાં 50 થી વધુ ઉમેદવારોએ આ દાખલાઓ માટે અરજી કરી છે. જોકે હજુ સુધી મુખ્ય પક્ષોએ ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી નથી, તેમ છતાં ટિકિટની આશા રાખતા દાવેદારોએ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવા દોડધામ શરૂ કરી દીધી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…