Lakhtar

લખતરના દેવળીયામાંથી સરકારી યુરિયા ખાતરના કાળા બજારનું કૌભાંડ ઝડપાયું

  સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખાએ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે ઝુંબેશ હાથધરી છે, જેના ભાગરૃપે લખતર તાલુકાના દેવળીયા ગામમાંથી ખેડૂતોને અપાતા સરકારી સબસીડીવાળા યુરિયા ખાતરના ગેરકાયદેસર સંગ્રહ અને કાળા બજારના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એસ.ઓ.જી.ના પી.આઈ. બી.એચ. શીંગરખીયાને મળેલી બાતમીના આધારે દેવળીયા ગામમાં ક્રિપાલસિંહ ભવાનસિંહ રાણાના કબજા ભોગવટાના એક ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. રેડ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓ અજયસિંહ બળવંતસિંહ રાણા અને દિવ્યરાજસિંહ ઉર્ફે શંભુભાઇ ધર્મેન્દ્રસિંહ રાણા ગેરકાયદેસર રીતે સરકારી સબસીડીવાળું યુરિયા ખાતર મેળવીને તેને કોમર્શિયલ ઉપયોગ માટેની થેલીઓમાં ફરીથી પેકિંગ કરી રહ્યા હતા. આ ખાતરને કાળા બજારમાં ફેક્ટરીઓમાં વેચવા માટે મોકલવાની યોજના હતી. નોંધનીય છે કે ગોડાઉનમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ પણ મળી આવતા પીજીવીસીએલની ટીમને બોલાવીને વીજ જોડાણ કાપીને દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે વધુ આ પ્રવૃતીઓ કેટલા સમયથી થતી હતી કેટલુ ખાતર લેવાયુ એ સહીતની તપાસ હાથ ધરવામા આવી હતી રેડમાં ઝડપાયેલ મુદ્દામાલ યુરિયા ભરેલી થેલીઓ (નંગ-૫૯૭) – કિંમત રૃ. ૯,૬૧,૪૮૦/-, ખાલી પીળા રંગની સરકારી ખાતરની થેલીઓ નંગ-૨૮૦, સીલાઈ મશીન, સફેદ ખાલી કોમશયલ ઉપયોગની થેલીઓ નંગ-૪૦, ટાટા ટ્રક (ખાતર ભરીને વેચાણ માટે મોકલવા આવેલ), મોબાઇલ ફોનનંગ-૦૩) તમામ મળીને કુલ રૃ. ૧૯,૮૦,૦૮૦/- નો શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ સામે કાર્યવાહી આ કૌભાંડમાં કુલ ચાર મુખ્ય ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ક્રિપાલસિંહ ભવાનસિંહ રાણાથ જેના ગોડાઉનમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી. અજયસિંહ બળવંતસિંહ રાણા, દિવ્યરાજસિંહ ઉર્ફે શંભુભાઇ ધર્મેન્દ્રસિંહ રાણાથ જે મજૂરોને આ કામ માટે લાવ્યા હતા. પરાગભાઇ જેણે ખાતર બજારમાં કાળાબજારીથી વેચવા માટે ટ્રક મોકલેલ હતો. આ ઉપરાંત, સ્થળ પરથી ખાતરની હેરફેર-ફેરવણી કરતા ૮ મજૂરો અને ટ્રકના ડ્રાઇવર-ક્લીનર સહિત અન્ય ૧૦ શખ્સોને પણ ઝડપી લેવામાં આવ્યા છે.
surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

6 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

7 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

7 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago