Lakhtar

લખતરના દેવળીયામાંથી સરકારી યુરિયા ખાતરના કાળા બજારનું કૌભાંડ ઝડપાયું

  સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખાએ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે ઝુંબેશ હાથધરી છે, જેના ભાગરૃપે લખતર તાલુકાના દેવળીયા ગામમાંથી ખેડૂતોને અપાતા સરકારી સબસીડીવાળા યુરિયા ખાતરના ગેરકાયદેસર સંગ્રહ અને કાળા બજારના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એસ.ઓ.જી.ના પી.આઈ. બી.એચ. શીંગરખીયાને મળેલી બાતમીના આધારે દેવળીયા ગામમાં ક્રિપાલસિંહ ભવાનસિંહ રાણાના કબજા ભોગવટાના એક ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. રેડ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓ અજયસિંહ બળવંતસિંહ રાણા અને દિવ્યરાજસિંહ ઉર્ફે શંભુભાઇ ધર્મેન્દ્રસિંહ રાણા ગેરકાયદેસર રીતે સરકારી સબસીડીવાળું યુરિયા ખાતર મેળવીને તેને કોમર્શિયલ ઉપયોગ માટેની થેલીઓમાં ફરીથી પેકિંગ કરી રહ્યા હતા. આ ખાતરને કાળા બજારમાં ફેક્ટરીઓમાં વેચવા માટે મોકલવાની યોજના હતી. નોંધનીય છે કે ગોડાઉનમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ પણ મળી આવતા પીજીવીસીએલની ટીમને બોલાવીને વીજ જોડાણ કાપીને દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે વધુ આ પ્રવૃતીઓ કેટલા સમયથી થતી હતી કેટલુ ખાતર લેવાયુ એ સહીતની તપાસ હાથ ધરવામા આવી હતી રેડમાં ઝડપાયેલ મુદ્દામાલ યુરિયા ભરેલી થેલીઓ (નંગ-૫૯૭) – કિંમત રૃ. ૯,૬૧,૪૮૦/-, ખાલી પીળા રંગની સરકારી ખાતરની થેલીઓ નંગ-૨૮૦, સીલાઈ મશીન, સફેદ ખાલી કોમશયલ ઉપયોગની થેલીઓ નંગ-૪૦, ટાટા ટ્રક (ખાતર ભરીને વેચાણ માટે મોકલવા આવેલ), મોબાઇલ ફોનનંગ-૦૩) તમામ મળીને કુલ રૃ. ૧૯,૮૦,૦૮૦/- નો શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ સામે કાર્યવાહી આ કૌભાંડમાં કુલ ચાર મુખ્ય ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ક્રિપાલસિંહ ભવાનસિંહ રાણાથ જેના ગોડાઉનમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી. અજયસિંહ બળવંતસિંહ રાણા, દિવ્યરાજસિંહ ઉર્ફે શંભુભાઇ ધર્મેન્દ્રસિંહ રાણાથ જે મજૂરોને આ કામ માટે લાવ્યા હતા. પરાગભાઇ જેણે ખાતર બજારમાં કાળાબજારીથી વેચવા માટે ટ્રક મોકલેલ હતો. આ ઉપરાંત, સ્થળ પરથી ખાતરની હેરફેર-ફેરવણી કરતા ૮ મજૂરો અને ટ્રકના ડ્રાઇવર-ક્લીનર સહિત અન્ય ૧૦ શખ્સોને પણ ઝડપી લેવામાં આવ્યા છે.
surendranagarupdate1@gmail.com

Recent Posts

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

1 day ago

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

2 days ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

2 days ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

2 days ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

2 days ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

5 days ago