Surendranagar

સુરેન્દ્રનગર નમો કમલમમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનનો પ્રારંભ

આપણા દેશના લોકોની મહેનત અને પરસેવા થકી બનતી ચીજ વસ્તુઓ ખરીદો

સુરેન્દ્રનગર: દેશને આર્થિક રીતે વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રવ્યાપી ‘આત્મનિર્ભર બનો, સ્વદેશી અપનાવો’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ અભિયાનને વધુ વેગ આપવા માટે આજે સુરેન્દ્રનગર સ્થિત નમો કમલમ કાર્યાલય ખાતે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાજપ પ્રદેશ કિસાન મોર્ચા મહામંત્રી અને આત્મનિર્ભર ભારત સૌરાષ્ટ્ર ના સહ ઇન્ચાર્જ હિરેનભાઇ હીરપરા પ્રદેશ ભાજપ અગ્રણી પ્રશાંતભાઇ વાળા જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિહ ચૌહાણ સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા, દસાડા ધારાસભ્ય પી કે પરમાર, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા, પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી સહીતના નેતાઓએ આ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે સંવાદ સાધ્યો હતો અને ‘ઘર ઘર સ્વદેશી’ અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. નેતાઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે, જેમાં દેશના પ્રત્યેક નાગરિકનો સહયોગ અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ વધારવાથી દેશની આર્થિક સ્થિતિ વધુ સારી રીતે મજબૂત બનશે અને સ્થાનિક કારીગરો તેમજ નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. આનાથી રોજગારીની નવી તકો પણ ઊભી થશે. પ્રેસ કોન્ફરન્સમાં નેતાઓએ લોકોને અપીલ કરી હતી કે તેઓ માત્ર ઉત્સવો દરમિયાન જ નહીં, પરંતુ રોજબરોજના જીવનમાં પણ વધુને વધુ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરે. તેમણે આ અભિયાનને એક જન આંદોલન બનાવવાની હાકલ કરી હતી, જેના દ્વારા ભારતને વિશ્વની અગ્રણી આર્થિક શક્તિ બનાવવાનું લક્ષ્ય સિદ્ધ કરી શકાય. આ ઝુંબેશ દ્વારા રાષ્ટ્રની આર્થિક પ્રગતિમાં પ્રત્યેક નાગરિકની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પક્ષનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
surendranagarupdate1@gmail.com

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago