સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠા થી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર..
માવઠા થી દાડમ બગડી ગયા..
દાડમની ક્વોલિટી ખરાબ થઈ જતા ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબુર..
માવઠા થી કપાસ મગફળી ઉપરાંત બાગાયત પાકનો પણ સોથ વળી ગયો..
દાડમ સરગવો લીંબુ જેવા પાકોને પણ નુકસાન..
ખેડૂતો ની હાલત દયનિય બની ગઈ..
સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાના કારણે કપાસ મગફળી જેવા પાકોને તો નુકસાન થયું છે પરંતુ સતત વરસાદ અને પવન સાથે વરસાદના કારણે દાડમ લીંબુ સરગવો જેવા બાગાયત પાકોને પણ નુકસાન થયું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ધાંગધ્રા અને મુળી તાલુકામાં ખેડૂતો દ્વારા સૌથી વધુ બાગાયત પાકમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે અને હાલમાં તેની આવક પણ શરૂ થઈ ગઈ છે પરંતુ માવઠાના કારણે અને વરસાદના કારણે દાડમનો પાક બગડી જવા પામ્યો છે અને ખાસ કરીને તેની ક્વોલિટી પણ ખરાબ થઈ જવા પામી છે..
જ્યારે ખેડૂતો આ દાડમ વઢવાણ માર્કેટિંગ એડ અથવા તો સુરેન્દ્રનગરની જે બજારો આવેલી છે ત્યાં વેચાણ માટે લાવે તો કોઈ ખરીદવા માટે તૈયાર નથી થઈ રહ્યું જેને લઇને ખેડૂતો દ્વારા દાડમ રસ્તા ઉપર ફેંકી દેવા પડી રહ્યા છે અને પશુઓને નાખી દેવા પડતા હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને માવઠાના કારણે નુકસાન થયું છે જેને લઇને દાડમનો પાક ખરાબ થઈ ગયો છે અને તેના પૂરતા ભાવ મળે તે પ્રકારની શક્યતાઓ પણ હાલ નહિવત દેખાઈ રહી છે પરંતુ તે છતાં પણ ખેડૂતો પોતે માર્કેટિંગ યાર્ડમાં આવા દાડમ નો પાક લાવી રહ્યા છે પરંતુ ત્યાં ભાવ ન મળવાના કારણે તેની ક્વોલિટી વરસાદથી ખરાબ થઈ ગઈ હોવાના કારણે ખરીદવા માટે તૈયાર ન હોવાના કારણે ખેડૂતો રોડ ઉપર દાડમ ફેંકી દેવા માટે મજબૂર બની રહ્યા છે..
પહેલા માવઠા થી માર સહન કર્યો અને હવે બાગાયત પાકમાં જે આવતા પાકો છે તેની આવક શરૂ થઈ જતા તેમની ક્વોલિટીમાં ફેર પડી રહ્યો છે અને બગડી જતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એટલે ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે..
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…