Categories: Uncategorized

સુરેન્દ્રનગર ના ખેડૂતો રોડ પર દાડમ ફેંકી દેવા મજબૂર..

સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠા થી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર..

માવઠા થી દાડમ બગડી ગયા..

દાડમની ક્વોલિટી ખરાબ થઈ જતા ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબુર..

માવઠા થી કપાસ મગફળી ઉપરાંત બાગાયત પાકનો પણ સોથ વળી ગયો..

દાડમ સરગવો લીંબુ જેવા પાકોને પણ નુકસાન..

ખેડૂતો ની હાલત દયનિય બની ગઈ..

સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાના કારણે કપાસ મગફળી જેવા પાકોને તો નુકસાન થયું છે પરંતુ સતત વરસાદ અને પવન સાથે વરસાદના કારણે દાડમ લીંબુ સરગવો જેવા બાગાયત પાકોને પણ નુકસાન થયું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ધાંગધ્રા અને મુળી તાલુકામાં ખેડૂતો દ્વારા સૌથી વધુ બાગાયત પાકમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે અને હાલમાં તેની આવક પણ શરૂ થઈ ગઈ છે પરંતુ માવઠાના કારણે અને વરસાદના કારણે દાડમનો પાક બગડી જવા પામ્યો છે અને ખાસ કરીને તેની ક્વોલિટી પણ ખરાબ થઈ જવા પામી છે..

જ્યારે ખેડૂતો આ દાડમ વઢવાણ માર્કેટિંગ એડ અથવા તો સુરેન્દ્રનગરની જે બજારો આવેલી છે ત્યાં વેચાણ માટે લાવે તો કોઈ ખરીદવા માટે તૈયાર નથી થઈ રહ્યું જેને લઇને ખેડૂતો દ્વારા દાડમ રસ્તા ઉપર ફેંકી દેવા પડી રહ્યા છે અને પશુઓને નાખી દેવા પડતા હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને માવઠાના કારણે નુકસાન થયું છે જેને લઇને દાડમનો પાક ખરાબ થઈ ગયો છે અને તેના પૂરતા ભાવ મળે તે પ્રકારની શક્યતાઓ પણ હાલ નહિવત દેખાઈ રહી છે પરંતુ તે છતાં પણ ખેડૂતો પોતે માર્કેટિંગ યાર્ડમાં આવા દાડમ નો પાક લાવી રહ્યા છે પરંતુ ત્યાં ભાવ ન મળવાના કારણે તેની ક્વોલિટી વરસાદથી ખરાબ થઈ ગઈ હોવાના કારણે ખરીદવા માટે તૈયાર ન હોવાના કારણે ખેડૂતો રોડ ઉપર દાડમ ફેંકી દેવા માટે મજબૂર બની રહ્યા છે..

પહેલા માવઠા થી માર સહન કર્યો અને હવે બાગાયત પાકમાં જે આવતા પાકો છે તેની આવક શરૂ થઈ જતા તેમની ક્વોલિટીમાં ફેર પડી રહ્યો છે અને બગડી જતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એટલે ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે..

jeet

Recent Posts

સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ પાણી માટે આરક્ષિત છતાં ગેરકાયદે માછીમારી યથાવત

સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ (Dholidhaja Dam) જે સમગ્ર સૌરાષ્ટ્ર માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે, તે…

3 days ago

ભાજપના કાર્યકરો દિવસે પક્ષ માટે અને રાત્રે કોંગ્રેસ માટે કામ કરે છે, શિયાણી બેઠકના ઉમેદવારનો આક્ષેપ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) નો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે…

3 days ago

ચોટીલાના દેવસર ગામે જૂની અદાવતમાં યુવકને ચાર શખ્સોએ પાઇપ-લાકડી વડે ફટકાર્યો

ચોટીલાના દેવસર (Devsar) ગામે જૂની અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો (Attack) થયો હોવાનું સામે…

3 days ago

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

6 days ago

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

7 days ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

7 days ago