Categories: Uncategorized

શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટીસાથે સુરેન્દ્રનગરના ત્રણ ઇસમો રાજકોટ થી ઝડપાયા..

સુરેન્દ્રનગરના ત્રણ ઈસમો પાસેથી 2.97 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

દરિયાઈ વિસ્તારોમાંથી માછલીની ઉલટી લઇ અને આવી રહ્યા હતા તે દરમિયાન રાજકોટ એસઓજી પોલીસે દરોડા પાડ્યા

શંકાસ્પદ વહેલ માછલીની ઉલટી સાથે રાજકોટ એસઓજી પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના 03 ઇસમોની અટકાયત કરી છે જેમાં સુરેન્દ્રનગર શહેરના દેવનગર વિસ્તારમાં રહેતા નરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા તેમજ જય સોસાયટી તારામણી કોમ્પલેક્ષ પાછળ રતનપર વિસ્તારમાં રહેતા પરેશભાઈ ચંદ્રકાંતભાઈ વિવેકાનંદ સોસાયટી નવા જકશન પાસે રહેતા આશિષ ભટ્ટની પણ અટકાયત કરવામાં આવી છે આ ત્રણ લોકોએ ભેગા મળી અને દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ વહેલ માછલીની ઉલટી જેને એમ્બરગ્રીસ તરીકે ઓળખવામાં આવે છે તે 2.963 ગ્રામ જથ્થા સાથે અટકાયત કરવામાં આવી છે અને 2.97 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

● વહેલ માછલી ની ઉલટી સાથે ઝડપાયેલો એક યુવક આઇસીઆઇ બેન્ક માં ફરજ બજાવે છે.

રાજકોટ એસ.ઓ.જી પોલીસ દ્વારા સુરેન્દ્રનગરના ત્રણ ઇસમોની અટકાયત કરવામાં આવી છે જેમાં વહેલ માછલીની ઉલટી સાથે ઝડપાયેલો આશિષ ભટ્ટ નામનો યુવક આઇસીઆઇ બેન્કમાં નોકરી કરી રહ્યો છે અને ફરજ પણ બજાવી રહ્યો છે પરંતુ રૂપિયાની લાલચમાં આવી અને આ પ્રકારનો કારસો રચવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે તેની સાથે રહેલા નરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા અને પરેશ શાહની પણ અટકાયત કરવામાં આવી છે આ તમામની કડક પૂછપરછ રાજકોટ એસઓજી દ્વારા શરૂ કરવામાં આવી છે.

● વ્હેલ માછલીના ઉલ્ટી નો ઉપયોગ

વહેલ માછલી ની ઉલટી નો ઉપયોગ ખાસ કરીને લક્ઝરીયસ પર્ફ્યુમ બનાવવા તેમજ મોંઘા પર્ફ્યુમ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેની સુગંધ મીઠી હોય છે જેની કિંમત લાખો રૂપિયાની હોય છે તો બીજી તરફ આ જ ઉલટી નો ઉપયોગ પરંપરાગત દવાઓ માટે થતો હોય છે ખાસ કરીને ખાસી અસ્થમા માથાનો દુખાવો પેટની તકલીફો ઝેર દૂર કરવા માટે આ ઉલટી નો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ખોરાક તરીકે મસાલામાં પણ તેનો ઉપયોગ થતો હોય છે અને આ ઉપરાંત ધાર્મિક વિધિઓમાં ધૂપ તરીકે પણ આ શુભ ગણવામાં આવે છે..

● શંકાસ્પદ વહેલ માછલીની ઉલટી ક્યાં લઈ જવામાં આવતી હતી અને કેટલા વર્ષો થી આ પ્રકારનું રેકેટ ચલાવા માં આવતું હતું તે દિશા માં તપાસ શરૂ..

દરિયાઈ વિસ્તારમાં તેમજ દરિયાઈ વિસ્તારમાં રહેતા વન્ય પ્રાણીઓ સરક્ષણ અધિનિયમ અનુસાર જે વન્ય જીવો હોય છે તેના અવશેષોના વેચાણ અને સંગ્રહ અને હેરાફેરી ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે છતાં પણ રૂપિયાની લાલચે અને અંગત સ્વાર્થ માટે કાવતરા કરી અને વન્ય જીવો ના અવશેષોને લઈને જતા ઇસમો સામે રાજકોટ એસ.ઓ જી પોલીસ દ્વારા આ મુદ્દે તાજેતરમાં ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ ઇસમોની અટકાયત કરવામાં આવી છે અને સૌથી મોંઘા ગણાતા વહેલ માછલી ની ઉલટી સાથે અટકાયત કરવામાં આવી છે અને વન વિભાગના કાર્યક્ષેત્ર ને લગતી હોય ત્યારે વધુ તપાસ વન વિભાગ અધિકારીઓને સોંપવામાં આવી છે હવે આ કેટલા વર્ષોથી રેકેટ ચાલતું હતું તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે અને આ કીમતી જથ્થો ક્યાં લઈ જવામાં આવતો હતો તેના દિશામાં પણ તપાસ હવે શરૂ કરવામાં આવી રહી છે અનેક ચોંકાવનારા ખુલાસો થયો તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે..

jeet

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago