ધ્રાંગધ્રામાં 17 વર્ષની એક સગીરા પર દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે સગીરાની માતાએ મોહસીન કાજેડીયા નામના યુવક વિરુદ્ધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
સગીરાની માતા મજૂરી કામ અર્થે ઘરની બહાર ગયા હતા, ત્યારે સગીરા ઘરે એકલી કપડાં ધોઈ રહી હતી. આ એકલતાનો લાભ ઉઠાવી આરોપી મોહસીન ત્યાં પહોંચ્યો હતો અને સગીરાની સગાઈ તોડી પડાવવાની ધમકી આપી હતી.
આરોપીએ બળજબરીપૂર્વક સગીરાનો હાથ પકડી તેને ઘરમાં ખેંચી ગયો હતો. ઘરમાં લઈ જઈને નરાધમે સગીરાના હાથ-પગ બાંધી દીધા હતા અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ માતા ઘરે આવતા ડરેલી સગીરાએ રડતા-રડતા પોતાની આપવીતી જણાવી હતી.
સગીરાએ વધુમાં જણાવ્યું કે આ યુવક અગાઉ પણ તેને અવારનવાર હેરાન કરતો હતો. હાલમાં પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…