સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોડા વિસ્તારમાં ડીઝલની ભારે અછત સર્જાતા વાહનચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ રણ વિસ્તારમાંથી મીઠું બહાર લાવવાની મુખ્ય સિઝન ચાલી રહી છે.ત્યારે જ ડીઝલ ન મળવાને કારણે મીઠાના વહન પર ગંભીર અસર પડી રહી છે.
પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પેટ્રોલ પંપ માલિકો સામાન્ય જનતાને બદલે પોતાના લાગતા-વળગતા લોકોને બેરલોમાં ડીઝલ ભરી આપી રહ્યા છે. આ પક્ષપાત સામે પુરવઠા વિભાગને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.
ડીઝલની આ કટોકટીના કારણે સમગ્ર મીઠા ઉદ્યોગ ઠપ્પ થઈ જવાની ભીતિ સેવાઈ રહી . જેને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…