સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોડા વિસ્તારમાં ડીઝલની ભારે અછત સર્જાતા વાહનચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ રણ વિસ્તારમાંથી મીઠું બહાર લાવવાની મુખ્ય સિઝન ચાલી રહી છે.ત્યારે જ ડીઝલ ન મળવાને કારણે મીઠાના વહન પર ગંભીર અસર પડી રહી છે.
પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પેટ્રોલ પંપ માલિકો સામાન્ય જનતાને બદલે પોતાના લાગતા-વળગતા લોકોને બેરલોમાં ડીઝલ ભરી આપી રહ્યા છે. આ પક્ષપાત સામે પુરવઠા વિભાગને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.
ડીઝલની આ કટોકટીના કારણે સમગ્ર મીઠા ઉદ્યોગ ઠપ્પ થઈ જવાની ભીતિ સેવાઈ રહી . જેને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
