સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. તાજેતરમાં સુરેન્દ્રનગરના પીપળી ગામે આવેલા રામદેવપીરના મંદિર પાસે ચેન સ્નેચિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
શંખેશ્વરના રામચાલીસવાસ વિસ્તારમાંથી દર્શન કરવા આવેલા હંસાબેન ગણપતભાઈ પ્રજાપતિ જ્યારે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.ત્યારે અજાણ્યા બદમાશોએ તેમના ગળામાંથી સોનાનો ચેન આંચકી લીધો હતો. લૂંટાયેલો સોનાનો ચેન આશરે 11 ગ્રામનો હતો.જેની બજાર કિંમત 1.10 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.
ઘટના બાદ અજાણ્યા ઈસમો ચેન લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે ભોગ બનનાર મહિલાએ માલવણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને ફરાર આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અને કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…