જિલ્લાના ખેડૂતોને આધુનિક અને નફાકારક ખેતી તરફ પ્રેરિત કૃષિ મહોત્સવ અંતર્ગત, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર. રાજેન્દ્રકુમાર પટેલ દ્વારા નેચરલ ફાર્મિંગ (પ્રાકૃતિક કૃષિ)ના સિદ્ધાંતો પર તૈયાર કરાયેલા વઢવાણ તાલુકાનાં લટુડા ગામના અંજીરના મોડેલ ફાર્મની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન, ખેતીની નવીનતમ પદ્ધતિઓ અને પાકની ગુણવત્તા વિશે રૂબરૂ જાણકારી મેળવી હતી.ખેડૂત મિલનભાઈ રાવલે અંજીરના પાક વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અંજીર એક એવો પાક છે જેને વધારે ગરમી અને સૂકું વાતાવરણ માફક આવે છે અને તે ઓછા પાણીએ પણ સારો પાક આપે છે. જે સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…