Categories: Uncategorized

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કરોડોના વિકાસ કાર્યોનો ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત,

9.71 કરોડના ખર્ચે ફાયર વાહનો વસાવાશે

ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ સુધીના માર્ગ પર 1.12 કરોડના ખર્ચે પોલ સાથે સુંદર ડેકોરેટિવ લાઇટો નખાશે

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે આજે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતભરમાં અબજો રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું,સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા ઉપસ્થિત રહીને કરોડોના કામોનો શુભારંભ કરાવ્યો હતો મનપા કમિશ્નર નવનાથ ગ્વહાણે ડેપ્યુટી કમિશ્નર અર્જુનભાઇ ચાવડા સહીત કર્મીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના અનેક પ્રોજેક્ટ્સ આવનાર સમયમા બનવાના છે

જેમાં શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, 9.71 કરોડ રૂપિયાના ખર્ચે અગ્નિશમન સાધનો (ફાયર વાહનો)ની ખરીદી માટે કંપની સાથે કરાર કરવામાં આવ્યો. આ ઉપરાંત ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ સુધીના માર્ગ પર 1.12 કરોડના ખર્ચે પોલ સાથે સુંદર ડેકોરેટિવ લાઇટો નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

 તેમજ મહાનગરપાલિકા કચેરી ખાતે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સેન્ટર દ્વારા મહાનગરપાલિકાની તમામ મિલકતોની સુરક્ષા માટે CCTV કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવશે, જેથી કોઈ નુકસાન ન કરી શકે. મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ૮ જેટલી સિટી બસોનું GPS મારફતે ટ્રેકિંગ આ ICCC દ્વારા કરવામાં આવશે. આનાથી બસ કયા રૂટ પર છે, ક્યાં પહોંચી છે તેની માહિતી મળી શકશે. પાણી પુરવઠા પર નજર રાખવા ઉપરાંત, મહાનગરપાલિકામાં આવતા અરજદારો અને મુલાકાતીઓની સંખ્યાની ગણતરી AI સિસ્ટમ સાથેના CCTV કેમેરા દ્વારા સવારથી સાંજ સુધી કરવામાં આવશે. વઢવાણ-લીંબડી રોડ પર કેરાળા ગામ નજીક નર્મદા કેનાલના કાંઠે 20 કરોડના ખર્ચે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર (સાયન્સ મ્યુઝિયમ)ના નિર્માણનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે જિલ્લા માટે એક મોટી ભેટ છે.

આ ઉપરાંત વિકસિત ભારત અને સ્વદેશી અપનાવવાની અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે અધિકારી, પદાધિકારીએ સમસ્ત નગરજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત થકી વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં યોગદાન આપવું જોઈએ. ખાસ કરીને દિવાળી જેવા તહેવાર નિમિત્તે, ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને અનુસરીને, આપણા ભારતીય નાગરિકો દ્વારા કારખાનામાં કે ગૃહ ઉદ્યોગના માધ્યમથી બનેલી સ્વદેશી ચીજવસ્તુઓની જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago