Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં “ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ” સ્વદેશી મેળાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો

સુરેન્દ્રનગરમાં “ઝાલાવાડ શોપીંગ ફેસ્ટિવલ” સ્વદેશી મેળાને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ,

સ્ટોલ,ભાડુ લાઇટબીલ મનપા દ્રારા તમામ ફ્રી અપાયુ 10 લાખથી વધુનો ધંધો કર્યો

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારાતા.12 થી 14 ઓક્ટોબર, 2025 દરમિયાન ત્રિદિવસીય “ઝાલાવાડ શોપીંગ ફેસ્ટિવલ” સ્વદેશી મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. “લોકલ ફોર વોકલ”ની વિભાવનાને મૂર્તિમંત કરતા આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરો અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને મજબૂત બનાવવાનો હતો.

આ તમામ સ્ટોલ ફ્રી આપવામા આવ્યા હતા સાથે લાઇટનિંગ વ્યવસ્થા પણ કરાઇ હતી

આ મેળામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આત્મા (ઓર્ગેનિક ફાર્મિંગ) અને મહાનગરપાલિકાના અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ વિભાગના સખીમંડળોની બહેનોએ સક્રિય ભાગીદારી કરી હતી. કુલ 75 સ્ટોલ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં બાંધણી, ભરત ગૂંથણ, પટોળા, ટાંગલીયા વણાટ કલા, હેન્ડીક્રાફ્ટ, કોડીયા અને અન્ય સ્વદેશી કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. નાના વેચાણકર્તાઓ અને ફેરીયાઓને પણ આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.

ત્રણ દિવસ દરમિયાન નાગરિકો તરફથી મેળાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જેના પરિણામે સ્વદેશી વસ્તુઓનું અંદાજે રૂ. 10 લાખથી વધુનું વિક્રમી વેચાણ નોંધાયું છે. ખાણીપીણીની સ્ટોલને પણ સારીએવી આવક થય હતી આર્થિક આંકડાઓ મુજબ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્ટોલ ધારકોએ રૂ. 2,50,000 થી વધુ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સ્ટોલ ધારકોએ રૂ. 3,90,000 થી વધુ, અને મહાનગરપાલિકાના UCD વિભાગના સખીમંડળોએ રૂ. 2,20,000 થી વધુનું વેચાણ કર્યું હતું. આ વેચાણે સ્થાનિક ઉત્પાદકો અને કારીગરોને દિવાળીના તહેવાર પૂર્વે મોટું આર્થિક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

ખરીદીની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો મેળાનું વિશેષ આકર્ષણ બન્યા હતા. જેમાં હુડ-ગોફ, મણિયારો રાસ-ગરબા, પઢાર નૃત્ય અને સિદી ધમાલ જેવા પરંપરાગત લોકનૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમો દ્વારા મનોરંજનની સાથે સાથે સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને સાંસ્કૃતિક વિરાસતને જાળવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.

સમગ્ર રીતે, “ઝાલાવાડ શોપીંગ ફેસ્ટિવલ” માત્ર એક મેળો ન રહેતા, તે સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક કલા-કારીગરીને પ્રોત્સાહન આપતું અને આત્મનિર્ભર ભારતના વિઝનને વેગ આપતું એક સફળ આયોજન સાબિત થઈ રહ્યાનું સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

jeet

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago