Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં “ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ” સ્વદેશી મેળાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો

સુરેન્દ્રનગરમાં “ઝાલાવાડ શોપીંગ ફેસ્ટિવલ” સ્વદેશી મેળાને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ,

સ્ટોલ,ભાડુ લાઇટબીલ મનપા દ્રારા તમામ ફ્રી અપાયુ 10 લાખથી વધુનો ધંધો કર્યો

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારાતા.12 થી 14 ઓક્ટોબર, 2025 દરમિયાન ત્રિદિવસીય “ઝાલાવાડ શોપીંગ ફેસ્ટિવલ” સ્વદેશી મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. “લોકલ ફોર વોકલ”ની વિભાવનાને મૂર્તિમંત કરતા આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરો અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને મજબૂત બનાવવાનો હતો.

આ તમામ સ્ટોલ ફ્રી આપવામા આવ્યા હતા સાથે લાઇટનિંગ વ્યવસ્થા પણ કરાઇ હતી

આ મેળામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આત્મા (ઓર્ગેનિક ફાર્મિંગ) અને મહાનગરપાલિકાના અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ વિભાગના સખીમંડળોની બહેનોએ સક્રિય ભાગીદારી કરી હતી. કુલ 75 સ્ટોલ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં બાંધણી, ભરત ગૂંથણ, પટોળા, ટાંગલીયા વણાટ કલા, હેન્ડીક્રાફ્ટ, કોડીયા અને અન્ય સ્વદેશી કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. નાના વેચાણકર્તાઓ અને ફેરીયાઓને પણ આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.

ત્રણ દિવસ દરમિયાન નાગરિકો તરફથી મેળાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જેના પરિણામે સ્વદેશી વસ્તુઓનું અંદાજે રૂ. 10 લાખથી વધુનું વિક્રમી વેચાણ નોંધાયું છે. ખાણીપીણીની સ્ટોલને પણ સારીએવી આવક થય હતી આર્થિક આંકડાઓ મુજબ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્ટોલ ધારકોએ રૂ. 2,50,000 થી વધુ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સ્ટોલ ધારકોએ રૂ. 3,90,000 થી વધુ, અને મહાનગરપાલિકાના UCD વિભાગના સખીમંડળોએ રૂ. 2,20,000 થી વધુનું વેચાણ કર્યું હતું. આ વેચાણે સ્થાનિક ઉત્પાદકો અને કારીગરોને દિવાળીના તહેવાર પૂર્વે મોટું આર્થિક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

ખરીદીની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો મેળાનું વિશેષ આકર્ષણ બન્યા હતા. જેમાં હુડ-ગોફ, મણિયારો રાસ-ગરબા, પઢાર નૃત્ય અને સિદી ધમાલ જેવા પરંપરાગત લોકનૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમો દ્વારા મનોરંજનની સાથે સાથે સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને સાંસ્કૃતિક વિરાસતને જાળવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.

સમગ્ર રીતે, “ઝાલાવાડ શોપીંગ ફેસ્ટિવલ” માત્ર એક મેળો ન રહેતા, તે સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક કલા-કારીગરીને પ્રોત્સાહન આપતું અને આત્મનિર્ભર ભારતના વિઝનને વેગ આપતું એક સફળ આયોજન સાબિત થઈ રહ્યાનું સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

jeet

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago