Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં “ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ” સ્વદેશી મેળાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો

સુરેન્દ્રનગરમાં “ઝાલાવાડ શોપીંગ ફેસ્ટિવલ” સ્વદેશી મેળાને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ,

સ્ટોલ,ભાડુ લાઇટબીલ મનપા દ્રારા તમામ ફ્રી અપાયુ 10 લાખથી વધુનો ધંધો કર્યો

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારાતા.12 થી 14 ઓક્ટોબર, 2025 દરમિયાન ત્રિદિવસીય “ઝાલાવાડ શોપીંગ ફેસ્ટિવલ” સ્વદેશી મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. “લોકલ ફોર વોકલ”ની વિભાવનાને મૂર્તિમંત કરતા આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરો અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને મજબૂત બનાવવાનો હતો.

આ તમામ સ્ટોલ ફ્રી આપવામા આવ્યા હતા સાથે લાઇટનિંગ વ્યવસ્થા પણ કરાઇ હતી

આ મેળામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આત્મા (ઓર્ગેનિક ફાર્મિંગ) અને મહાનગરપાલિકાના અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ વિભાગના સખીમંડળોની બહેનોએ સક્રિય ભાગીદારી કરી હતી. કુલ 75 સ્ટોલ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં બાંધણી, ભરત ગૂંથણ, પટોળા, ટાંગલીયા વણાટ કલા, હેન્ડીક્રાફ્ટ, કોડીયા અને અન્ય સ્વદેશી કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. નાના વેચાણકર્તાઓ અને ફેરીયાઓને પણ આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.

ત્રણ દિવસ દરમિયાન નાગરિકો તરફથી મેળાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જેના પરિણામે સ્વદેશી વસ્તુઓનું અંદાજે રૂ. 10 લાખથી વધુનું વિક્રમી વેચાણ નોંધાયું છે. ખાણીપીણીની સ્ટોલને પણ સારીએવી આવક થય હતી આર્થિક આંકડાઓ મુજબ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્ટોલ ધારકોએ રૂ. 2,50,000 થી વધુ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સ્ટોલ ધારકોએ રૂ. 3,90,000 થી વધુ, અને મહાનગરપાલિકાના UCD વિભાગના સખીમંડળોએ રૂ. 2,20,000 થી વધુનું વેચાણ કર્યું હતું. આ વેચાણે સ્થાનિક ઉત્પાદકો અને કારીગરોને દિવાળીના તહેવાર પૂર્વે મોટું આર્થિક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

ખરીદીની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો મેળાનું વિશેષ આકર્ષણ બન્યા હતા. જેમાં હુડ-ગોફ, મણિયારો રાસ-ગરબા, પઢાર નૃત્ય અને સિદી ધમાલ જેવા પરંપરાગત લોકનૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમો દ્વારા મનોરંજનની સાથે સાથે સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને સાંસ્કૃતિક વિરાસતને જાળવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.

સમગ્ર રીતે, “ઝાલાવાડ શોપીંગ ફેસ્ટિવલ” માત્ર એક મેળો ન રહેતા, તે સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક કલા-કારીગરીને પ્રોત્સાહન આપતું અને આત્મનિર્ભર ભારતના વિઝનને વેગ આપતું એક સફળ આયોજન સાબિત થઈ રહ્યાનું સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

jeet

Recent Posts

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

12 hours ago

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

1 day ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

1 day ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

1 day ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

1 day ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

5 days ago