Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં “ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ” સ્વદેશી મેળાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો

સુરેન્દ્રનગરમાં “ઝાલાવાડ શોપીંગ ફેસ્ટિવલ” સ્વદેશી મેળાને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ,

સ્ટોલ,ભાડુ લાઇટબીલ મનપા દ્રારા તમામ ફ્રી અપાયુ 10 લાખથી વધુનો ધંધો કર્યો

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારાતા.12 થી 14 ઓક્ટોબર, 2025 દરમિયાન ત્રિદિવસીય “ઝાલાવાડ શોપીંગ ફેસ્ટિવલ” સ્વદેશી મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. “લોકલ ફોર વોકલ”ની વિભાવનાને મૂર્તિમંત કરતા આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરો અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને મજબૂત બનાવવાનો હતો.

આ તમામ સ્ટોલ ફ્રી આપવામા આવ્યા હતા સાથે લાઇટનિંગ વ્યવસ્થા પણ કરાઇ હતી

આ મેળામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આત્મા (ઓર્ગેનિક ફાર્મિંગ) અને મહાનગરપાલિકાના અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ વિભાગના સખીમંડળોની બહેનોએ સક્રિય ભાગીદારી કરી હતી. કુલ 75 સ્ટોલ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં બાંધણી, ભરત ગૂંથણ, પટોળા, ટાંગલીયા વણાટ કલા, હેન્ડીક્રાફ્ટ, કોડીયા અને અન્ય સ્વદેશી કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. નાના વેચાણકર્તાઓ અને ફેરીયાઓને પણ આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.

ત્રણ દિવસ દરમિયાન નાગરિકો તરફથી મેળાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જેના પરિણામે સ્વદેશી વસ્તુઓનું અંદાજે રૂ. 10 લાખથી વધુનું વિક્રમી વેચાણ નોંધાયું છે. ખાણીપીણીની સ્ટોલને પણ સારીએવી આવક થય હતી આર્થિક આંકડાઓ મુજબ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્ટોલ ધારકોએ રૂ. 2,50,000 થી વધુ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સ્ટોલ ધારકોએ રૂ. 3,90,000 થી વધુ, અને મહાનગરપાલિકાના UCD વિભાગના સખીમંડળોએ રૂ. 2,20,000 થી વધુનું વેચાણ કર્યું હતું. આ વેચાણે સ્થાનિક ઉત્પાદકો અને કારીગરોને દિવાળીના તહેવાર પૂર્વે મોટું આર્થિક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

ખરીદીની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો મેળાનું વિશેષ આકર્ષણ બન્યા હતા. જેમાં હુડ-ગોફ, મણિયારો રાસ-ગરબા, પઢાર નૃત્ય અને સિદી ધમાલ જેવા પરંપરાગત લોકનૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમો દ્વારા મનોરંજનની સાથે સાથે સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને સાંસ્કૃતિક વિરાસતને જાળવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.

સમગ્ર રીતે, “ઝાલાવાડ શોપીંગ ફેસ્ટિવલ” માત્ર એક મેળો ન રહેતા, તે સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક કલા-કારીગરીને પ્રોત્સાહન આપતું અને આત્મનિર્ભર ભારતના વિઝનને વેગ આપતું એક સફળ આયોજન સાબિત થઈ રહ્યાનું સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago