Khandiya Village House Theft | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચુડા તાલુકાના ખાંડીયા ગામે ગત તારીખ 7 નવેમ્બરના રોજ એક રહેણાંક મકાનમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે ગામના જ બે શખ્સોની ધરપકડ (Arrest) કરી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર (Recover) કર્યો છે.
ઘટનાની વિગત: ખાંડીયા ગામમાં રહેતા ઘનશ્યામસિંહ ઝાલા અને તેમનો પરિવાર રાત્રિના સમયે ઘરમાં સૂતો હતો, ત્યારે તસ્કરોએ તકનો લાભ ઉઠાવી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાંથી રૂ. 18,000ની રોકડ અને સોના-ચાંદીના દાગીના (Jewellery) મળી કુલ રૂ. 56,700ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મકાન માલિકે આ અંગે ચુડા પોલીસ મથકે ફરિયાદ (Complaint) નોંધાવી હતી.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ: પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગત સામે આવી હતી કે ચોરી કરનાર શખ્સો ગામના જ છે. પોલીસે કિરણ મનસુખભાઈ વાણીયા (ઉ.વ. 28) અને આશિષ દેવજીભાઈ સોલંકી (ઉ.વ. 27) નામના બે શખ્સોને ઝડપી લીધા છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી ચોરી કરેલી તમામ રોકડ અને દાગીના કબજે કરવામાં આવ્યા છે.
ગામના જ શખ્સો ચોરીમાં સંડોવાયેલા હોવાનું બહાર આવતા સ્થાનિકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…