અમરાપર – નવાગામ વચ્ચે આવેલ ત્રણથી વધુ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી..
તસ્કરોની ટોળકીનો આંતક – દુકાનોમાંથી રોકડ રકમ સહિતની ચીજ વસ્તુઓની ઉઠાતરી..
પોલીસ તપાસનો ધમધમાટ શરૂ..
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથડતી જઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીની ઘટનાઓ સતત બનતી જઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં શિયાળાના ઠંડીનો લાભ લઇ અને તસ્કરો છે તે બેફામ બનતા જઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનના અમરાપર નવાગામ રોડ ઉપર ત્રણથી વધુ દુકાનોને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવી છે.
અંદાજિત રૂપિયા 70 હજારથી વધુને રોકડ રકમ અને અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરવામાં આવી છે ત્યારે ઘટનાને લઈને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ કેમેરામાં કેદ થયા છે તસ્કરોની ટોળકી દ્વારા દુકાનમાં ગેર કાયદેસર પ્રવેશ મેળવી અને ત્યારબાદ દુકાનોના તાળા તોડવામાં આવી રહ્યા છે જે રોકડ રકમ પડી છે તેની પણ ઉઠાંતરી કરવામાં આવી રહી છે આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે..
ઘટનાની જાણ થતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને જે ટોળકી દ્વારા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે કોના દ્વારા દુકાનોને ટાર્ગેટ બનાવવામાં આવી છે તે દિશામાં પણ તપાસ શરૂ છે પરંતુ શિયાળાના ગુલાબી ઠંડી વચ્ચે તસ્કરોના આંતકથી લઇ વેપારીઓ પણ હવે પરેશાન બની રહ્યા છે..
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…