Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ધ્રાંગધ્રાના નરાલી ગામમાં આર્મી જવાનના અંતિમ સંસ્કાર, ભારે હૃદયથી વિદાય

jeet 26 October 2025
Untitled design_20251026_141107_0000

ધ્રાંગધ્રાના નરાળી ગામે આર્મી જવાનની અંતિમયાત્રા ભારે થી હૈયે વિદાય

Join Our WhatsApp Group

આર્મી અધિકારીઓ પરીવારજનો ગ્રામજનોની વચ્ચે ગાર્ડ ઓફ ઓનર અપાયુ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના વતની અને દેશની રક્ષા માટે સરહદ પર ફરજ બજાવતા આર્મી જવાન મુલાડીયા વહાણભાઈ શવજીભાઈનું જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન નિધન થયું છે. જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ પર હતા ત્યારે વહાણભાઈ વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બન્યા હતા. તેમની તબિયત વધુ ગંભીર બનતાં તેમનું અવસાન થયું હતું. દેશ માટે ફરજ દરમિયાન અવસાન થવાને કારણે તેમને ‘શહીદ’નો દરજ્જો મળ્યો છે.

વીર શહીદ જવાનના પાર્થિવ દેહને તેમના વતન નરાળી ગામે અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો. શહીદ જવાન વહાણભાઈની અંતિમ યાત્રા ધ્રાંગધ્રાના કુડા ચોકડીથી નરાળી ગામ સુધી કાઢવામાં આવી હતી. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આર્મી જવાનની અંતિમ યાત્રા દરમિયાન આખું ગામ શોકમગ્ન બની ગયું હતું.

ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામમાં જ્યારે શહીદ જવાનનો પાર્થિવ દેહ પહોંચ્યો ત્યારે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ગામના લોકોએ ભારે હૃદયે પોતાના વીર સપૂતને વિદાય આપી હતી. અંતિમ યાત્રામાં ‘શહીદ વહાણભાઈ અમર રહો’ના નારા ગુંજ્યા હતા. શહીદ જવાનને અંતિમ સલામી આપવા માટે આર્મીના જવાનો સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વહાણભાઈના નિધનથી માત્ર નરાળી ગામ જ નહીં, પરંતુ સમગ્ર પંથકમાં શોકની ગહેરી લાગણી પ્રસરી ગઈ છે. દેશની રક્ષા કરતા શહીદ થયેલા વહાણભાઈ મુલાડીયાએ પોતાના બલિદાનથી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન
Next: વઢવાણ ધારાસભ્ય જગદીશભાઇ મકવાણાએ’નૂતન વર્ષ સ્નેહ મિલન’નું આયોજન કર્યુ

Related News

સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર રાજસીતાપુર નજીક આવેલું ફાટક 4 દિવસ રાત્રિ દરમિયાન બંધ રહેશે

સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર રાજસીતાપુર નજીક આવેલું ફાટક 4 દિવસ રાત્રિ દરમિયાન બંધ રહેશે

user 2 8 April 2026
ik-jadeja-bjp-core-committee-darji-samaj-felicitation

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

surendranagarupdate1@gmail.com 5 April 2026
ધ્રાંગધ્રાના પુનિતનગરના મકાનમાંથી 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

ધ્રાંગધ્રાના પુનિતનગરના મકાનમાંથી 2.53 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

user 2 4 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add