Categories: Uncategorized

દિવાળીના તહેવારને ધ્યાને રાખી આંગડીયા પેઢી સંચાલકો સાથે મીટીંગ યોજાઈ

દિવાળીના તહેવારને ધ્યાને રાખી આંગડીયા પેઢી સંચાલકો સાથે મીટીંગ યોજાઈ

સુરેન્દ્રનગર : જીલ્લામાં આવનારા દિવાળીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાણાકીય વ્યવહારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અને માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જીલ્લાની આંગડીયા પેઢીના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે સ્થાનિક ક્રાઇમ બ્રાંચ LCB અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGના અધિકારીઓએ સંયુક્ત રીતે મીટીંગ યોજી હતી. તહેવારોમાં રોકડ રકમની હેરફેર વધતી હોવાથી લૂંટ કે છેતરપિંડી જેવા ગુનાઓ અટકાવવા માટે ખાસ તકેદારી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.પેઢી સંચાલકોને સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા, શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા અને તાત્કાલિક પોલીસને જાણ કરવા સહિતની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસે પણ તહેવારો દરમિયાન આંગડીયા પેઢીના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવાની અને ગુપ્ત નિરીક્ષણ હાથ ધરવાની ખાતરી આપી હતી.

jeet

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago