સુરેન્દ્રનગર: રાષ્ટ્રીય એકતાના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં ‘એક ભારત આત્મનિર્ભર ભારત’ ના સૂત્ર સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ કાર્યક્રમોના સુચારુ આયોજન અંગે રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.
જેમાં તા. ૧૬ થી ૨૧ નવેમ્બર દરમિયાન પદયાત્રાનું આયોજન
આ પદયાત્રા વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાંથી એક યાત્રા જિલ્લા કક્ષાની
પ્રત્યેક પદયાત્રા ૮ થી ૧૦ કિલોમીટરની નક્કી કરાઈ છે.
આ યાત્રાઓમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાનાર છે.
પદયાત્રાના રૂટ પર લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામા આવી છે. જેમાં મેડિકલ ટીમની વ્યવસ્થા, મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ, સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા અને યોગ સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
આ સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા, તેમજ તમામ પ્રાંત અધિકારીઓ અને અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…