સુરેન્દ્રનગર: રાષ્ટ્રીય એકતાના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં ‘એક ભારત આત્મનિર્ભર ભારત’ ના સૂત્ર સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ કાર્યક્રમોના સુચારુ આયોજન અંગે રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.
જેમાં તા. ૧૬ થી ૨૧ નવેમ્બર દરમિયાન પદયાત્રાનું આયોજન
આ પદયાત્રા વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાંથી એક યાત્રા જિલ્લા કક્ષાની
પ્રત્યેક પદયાત્રા ૮ થી ૧૦ કિલોમીટરની નક્કી કરાઈ છે.
આ યાત્રાઓમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાનાર છે.
પદયાત્રાના રૂટ પર લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામા આવી છે. જેમાં મેડિકલ ટીમની વ્યવસ્થા, મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ, સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા અને યોગ સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
આ સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા, તેમજ તમામ પ્રાંત અધિકારીઓ અને અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…