Categories: Uncategorized

સુરેન્દ્રનગરના દુધરેજ પુલ ઉપરથી જીવના જોખમે યાત્રીકો પસાર થવા મજબૂર.

પુલનું સમારકામ ચાલી રહ્યું છે પરંતુ બે કિલોમીટરનો ધક્કો ન ખાવા માટે યાત્રિકો પુલ ઉપરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે..

સુરેન્દ્રનગર દુધરેજ નર્મદાની કેનાલ ઉપર નો પુલ છેલ્લા ચાર મહિનાથી બંધ કરવામાં આવ્યો છે હાલમાં તેનું સ્મારકામ ચાલુ છે તંત્ર દ્વારા એક કરોડથી વધુના ખર્ચે આ પુલનું સમારકામ શરૂ કરવામાં આવી રહી છે. અને હાલની પરિસ્થિતિમાં 90% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે ટૂંક સમયમાં પુલ ખુલ્લો મુકવાની તૈયારી પણ તંત્ર દ્વારા દેખાડવામાં આવી છે.

પરંતુ પુલ બંધ કરવામાં આવતા બનાવવામાં આવેલું દ્રાઇવર્ઝન ખુબ ખરાબ અને દયનીય હાલતમાં છે અને આ ડ્રાઇવર્ઝન 2 કિમિ સુધીનું છે જેના ઉપર ખાડાઓ અને કાચા માર્ગ હોવાના કારણે સ્થાનિક લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે ને આ સંદર્ભે વારંવાર તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે તે છતાં પણ કોઈ રસ્તામાં સુધારો કરવામાં નથી આવ્યો..

ત્યારે ફૂલ શરૂ ન થતા હાલમાં જીવના જોખમે પુલનું કામ ચાલી રહ્યું છે તે છતાં પણ યાત્રિકો પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે 2 કિમિ નું ડ્રાઈવર્ઝન કાપવા કરતા વધુ જીવ જોખમમાં મૂકી રહ્યા છે તંત્ર દ્વારા આ પુલ બનાવી અને ટૂંક સમયમાં ખુલ્લો મુકવામાં આવે તે જરૂરી છે મોટી કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે તે પણ સવાલ છે..

પુલનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે અને જીવના જોખમે પસાર થતાં યાત્રિકોને અટકાવવામાં આવે તે જરૂરી છે કારણ કે નીચેથી સૌરાષ્ટ્ર ભરમાં પીવાના પાણી પૂરું પાડતી નર્મદાની કેનાલ પસાર થાય છે જો દુર્ઘટના સર્જાશે તો અનેક લોકોના જીવ જઈ શકે તેવી પરિસ્થિતિ છે તો તંત્ર દ્વારા પણ આ મુદ્દે નિર્ણય કરવામાં આવે તે જરૂરી છે..

jeet

Recent Posts

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

21 hours ago

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

1 day ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

1 day ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

1 day ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

1 day ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

5 days ago