Surendranagar

વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીમાં મેસેજ ન મળતા ખેડૂતોનો હોબાળો

સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી પ્રક્રિયામાં સર્જાયેલી અનિયમિતતાને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વઢવાણ તાલુકાના અંદાજે 6,000 ખેડૂતોએ ટેકાના ભાવે ચણા વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ અત્યાર સુધી માત્ર 800 ખેડૂતોની જ ખરીદી પૂર્ણ થઈ શકી છે. ટીંબા સહકારી મંડળી દ્વારા ચલાવવામાં આવતા આ કેન્દ્ર પર વહીવટી મંજૂરીના અભાવે ખરીદી પ્રક્રિયા ધીમી પડી છે.

ખેડૂતોનો આરોપ છે કે છેલ્લા 24 કલાકથી નવા એપ્રુવલ મળ્યા નથી અને ખેડૂતોને ખરીદી માટેના મેસેજ પણ મોકલવામાં આવ્યા નથી. હાલમાં રોજના માત્ર 50 થી 60 ખેડૂતોને બોલાવવામાં આવે છે, જ્યારે ખેડૂતોની માંગ છે કે દરરોજ 300 થી વધુ ખેડૂતોની જણસી સ્વીકારવામાં આવે. ઓપન માર્કેટમાં ચણાના ભાવ પ્રતિ મણ 800 થી 900 રૂપિયા મળી રહ્યા છે, જેની સામે સરકાર દ્વારા 1175 રૂપિયાનો ટેકાનો ભાવ જાહેર કરાયો છે. આ ભાવ તફાવતને કારણે ખેડૂતો સરકારી ખરીદી પર નિર્ભર છે.

હોબાળાની જાણ થતા જ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ખેડૂતોને શાંત પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે મેસેજ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવી ખરીદી શરૂ કરવામાં નહીં આવે અને નાણાંની તાત્કાલિક ચુકવણી નહીં થાય તો આંદોલન તેજ કરવામાં આવશે. તંત્રની ઢીલી નીતિને કારણે હજારો ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

6 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

6 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago