સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી પ્રક્રિયામાં સર્જાયેલી અનિયમિતતાને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વઢવાણ તાલુકાના અંદાજે 6,000 ખેડૂતોએ ટેકાના ભાવે ચણા વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ અત્યાર સુધી માત્ર 800 ખેડૂતોની જ ખરીદી પૂર્ણ થઈ શકી છે. ટીંબા સહકારી મંડળી દ્વારા ચલાવવામાં આવતા આ કેન્દ્ર પર વહીવટી મંજૂરીના અભાવે ખરીદી પ્રક્રિયા ધીમી પડી છે.
ખેડૂતોનો આરોપ છે કે છેલ્લા 24 કલાકથી નવા એપ્રુવલ મળ્યા નથી અને ખેડૂતોને ખરીદી માટેના મેસેજ પણ મોકલવામાં આવ્યા નથી. હાલમાં રોજના માત્ર 50 થી 60 ખેડૂતોને બોલાવવામાં આવે છે, જ્યારે ખેડૂતોની માંગ છે કે દરરોજ 300 થી વધુ ખેડૂતોની જણસી સ્વીકારવામાં આવે. ઓપન માર્કેટમાં ચણાના ભાવ પ્રતિ મણ 800 થી 900 રૂપિયા મળી રહ્યા છે, જેની સામે સરકાર દ્વારા 1175 રૂપિયાનો ટેકાનો ભાવ જાહેર કરાયો છે. આ ભાવ તફાવતને કારણે ખેડૂતો સરકારી ખરીદી પર નિર્ભર છે.
હોબાળાની જાણ થતા જ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ખેડૂતોને શાંત પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે મેસેજ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવી ખરીદી શરૂ કરવામાં નહીં આવે અને નાણાંની તાત્કાલિક ચુકવણી નહીં થાય તો આંદોલન તેજ કરવામાં આવશે. તંત્રની ઢીલી નીતિને કારણે હજારો ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…