સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી પ્રક્રિયામાં સર્જાયેલી અનિયમિતતાને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વઢવાણ તાલુકાના અંદાજે 6,000 ખેડૂતોએ ટેકાના ભાવે ચણા વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ અત્યાર સુધી માત્ર 800 ખેડૂતોની જ ખરીદી પૂર્ણ થઈ શકી છે. ટીંબા સહકારી મંડળી દ્વારા ચલાવવામાં આવતા આ કેન્દ્ર પર વહીવટી મંજૂરીના અભાવે ખરીદી પ્રક્રિયા ધીમી પડી છે.
ખેડૂતોનો આરોપ છે કે છેલ્લા 24 કલાકથી નવા એપ્રુવલ મળ્યા નથી અને ખેડૂતોને ખરીદી માટેના મેસેજ પણ મોકલવામાં આવ્યા નથી. હાલમાં રોજના માત્ર 50 થી 60 ખેડૂતોને બોલાવવામાં આવે છે, જ્યારે ખેડૂતોની માંગ છે કે દરરોજ 300 થી વધુ ખેડૂતોની જણસી સ્વીકારવામાં આવે. ઓપન માર્કેટમાં ચણાના ભાવ પ્રતિ મણ 800 થી 900 રૂપિયા મળી રહ્યા છે, જેની સામે સરકાર દ્વારા 1175 રૂપિયાનો ટેકાનો ભાવ જાહેર કરાયો છે. આ ભાવ તફાવતને કારણે ખેડૂતો સરકારી ખરીદી પર નિર્ભર છે.
હોબાળાની જાણ થતા જ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ખેડૂતોને શાંત પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે મેસેજ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવી ખરીદી શરૂ કરવામાં નહીં આવે અને નાણાંની તાત્કાલિક ચુકવણી નહીં થાય તો આંદોલન તેજ કરવામાં આવશે. તંત્રની ઢીલી નીતિને કારણે હજારો ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…