સુરેન્દ્રનગર શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ કાળઝાળ ગરમીમાં રાહદારીઓ અને સામાન્ય જનતાની તરસ છીપાવવા માટે “જળ એ જ જીવન” ના મંત્ર સાથે જૈન સોશિયલ ગ્રુપ (JSG) સિલ્વર દ્વારા ઠંડા પાણીની પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ સેવાકીય કાર્ય મુંબઈના દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી અમલમાં મૂકવામાં આવ્યું છે, જેમાં કોઈપણ ભેદભાવ વિના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ ઠંડું જળ મેળવી શકશે.
શહેરના સૌથી વ્યસ્ત ગણાતા વિસ્તારોમાં આ સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં A ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ મહેતા મોબાઈલ, ન્યૂ માર્કેટ સામે પતરાવાળી ચોકમાં આવેલ રતન ટાઈમ અને જવાહર રોડ પર મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ ખાતે શ્રેણિક એન્ટરપ્રાઈઝ પાસે આ પરબ કાર્યરત કરવામાં આવી છે.
2026 ના આ આકરા ઉનાળામાં જ્યારે બપોરના સમયે તાપમાન ચરમસીમાએ હોય છે, ત્યારે રાહદારીઓને ઘર જેવું શુદ્ધ અને ઠંડું પાણી મળી રહે તેવી સુંદર વ્યવસ્થા કરાઈ છે.
આ આયોજનને સફળ બનાવવા માટે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરની સમગ્ર કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી છે. ઉનાળાની બપોરે તરસ્યા મુસાફરો અને સ્થાનિક મજૂર વર્ગ માટે આ પરબ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સેવાભાવી સંગઠન દ્વારા કરવામાં આવેલી આ પ્રશંસનીય પહેલની સમગ્ર શહેરભરમાં સરાહના કરવામાં આવી રહી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…