સુરેન્દ્રનગર શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ કાળઝાળ ગરમીમાં રાહદારીઓ અને સામાન્ય જનતાની તરસ છીપાવવા માટે “જળ એ જ જીવન” ના મંત્ર સાથે જૈન સોશિયલ ગ્રુપ (JSG) સિલ્વર દ્વારા ઠંડા પાણીની પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ સેવાકીય કાર્ય મુંબઈના દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી અમલમાં મૂકવામાં આવ્યું છે, જેમાં કોઈપણ ભેદભાવ વિના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ ઠંડું જળ મેળવી શકશે.
શહેરના સૌથી વ્યસ્ત ગણાતા વિસ્તારોમાં આ સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં A ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ મહેતા મોબાઈલ, ન્યૂ માર્કેટ સામે પતરાવાળી ચોકમાં આવેલ રતન ટાઈમ અને જવાહર રોડ પર મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ ખાતે શ્રેણિક એન્ટરપ્રાઈઝ પાસે આ પરબ કાર્યરત કરવામાં આવી છે.
2026 ના આ આકરા ઉનાળામાં જ્યારે બપોરના સમયે તાપમાન ચરમસીમાએ હોય છે, ત્યારે રાહદારીઓને ઘર જેવું શુદ્ધ અને ઠંડું પાણી મળી રહે તેવી સુંદર વ્યવસ્થા કરાઈ છે.
આ આયોજનને સફળ બનાવવા માટે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરની સમગ્ર કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી છે. ઉનાળાની બપોરે તરસ્યા મુસાફરો અને સ્થાનિક મજૂર વર્ગ માટે આ પરબ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સેવાભાવી સંગઠન દ્વારા કરવામાં આવેલી આ પ્રશંસનીય પહેલની સમગ્ર શહેરભરમાં સરાહના કરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. લખતરના…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેની પ્રથમ યાદી જાહેર…
સુરેન્દ્રનગર શહેરની મુખ્ય શાક માર્કેટમાં ખરીદી કરવા આવેલી એક મહિલાનો મોબાઈલ ચોરી કરી ભાગી રહેલા…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો અત્યારથી…
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો…