સુરેન્દ્રનગર શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ કાળઝાળ ગરમીમાં રાહદારીઓ અને સામાન્ય જનતાની તરસ છીપાવવા માટે “જળ એ જ જીવન” ના મંત્ર સાથે જૈન સોશિયલ ગ્રુપ (JSG) સિલ્વર દ્વારા ઠંડા પાણીની પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ સેવાકીય કાર્ય મુંબઈના દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી અમલમાં મૂકવામાં આવ્યું છે, જેમાં કોઈપણ ભેદભાવ વિના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ ઠંડું જળ મેળવી શકશે.
શહેરના સૌથી વ્યસ્ત ગણાતા વિસ્તારોમાં આ સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં A ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ મહેતા મોબાઈલ, ન્યૂ માર્કેટ સામે પતરાવાળી ચોકમાં આવેલ રતન ટાઈમ અને જવાહર રોડ પર મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ ખાતે શ્રેણિક એન્ટરપ્રાઈઝ પાસે આ પરબ કાર્યરત કરવામાં આવી છે.
2026 ના આ આકરા ઉનાળામાં જ્યારે બપોરના સમયે તાપમાન ચરમસીમાએ હોય છે, ત્યારે રાહદારીઓને ઘર જેવું શુદ્ધ અને ઠંડું પાણી મળી રહે તેવી સુંદર વ્યવસ્થા કરાઈ છે.
આ આયોજનને સફળ બનાવવા માટે જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરની સમગ્ર કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી છે. ઉનાળાની બપોરે તરસ્યા મુસાફરો અને સ્થાનિક મજૂર વર્ગ માટે આ પરબ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સેવાભાવી સંગઠન દ્વારા કરવામાં આવેલી આ પ્રશંસનીય પહેલની સમગ્ર શહેરભરમાં સરાહના કરવામાં આવી રહી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…