Surendranagar

સુરેન્દ્રનગર મનપા કમિશનર ‘એક્શન મોડ’માં:: મોડા આવતા 58 કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર નવનાથ ગ્વ્હાણે હાલ શિસ્તભંગ કરનારા કર્મચારીઓ સામે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. લાખો રૂપિયાનો પગાર લેવા છતાં ફરજમાં બેદરકારી દાખવતા અને સમયસર ઓફિસ ન આવતા 58 જેટલા કર્મચારીઓને કમિશનરે કારણદર્શક નોટિસ ફટકારી છે.

મનપાના નિયમ અનુસાર સવારે 10:30 થી સાંજે 6:10 સુધીનો ફરજ સમય નક્કી હોવા છતાં, અનેક કર્મચારીઓ મોડા આવતા અને વહેલા ઘરે ભાગી જતા હોવાનું બહાર આવ્યું હતું.

કમિશનરે જાન્યુઆરી મહિનાથી બાયોમેટ્રિક (ફિંગર પ્રિન્ટ) મશીનનું જાતે મોનિટરિંગ શરૂ કર્યું હતું. આ ડેટાના આધારે જે કર્મીઓ શિસ્તનું ઉલ્લંઘન કરતા ઝડપાયા છે તેમની પાસે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે.

કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પ્રજાના કામો માટે સમયપાલન અનિવાર્ય છે. વર્ષોથી ચાલતી લાલિયાવાડી સામેની આ કડક કાર્યવાહીથી મનપાના આળસુ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્રમાં શિસ્ત જાળવવા માટે લેવાયેલા આ પગલાંની શહેરીજનો પ્રશંસા કરી રહ્યા છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

3 days ago

લખતર હાઈવે પર કાળમુખો ટ્રક પદયાત્રીઓ પર ફરી વળ્યો; રાજકોટના શ્રદ્ધાળુઓ સહિત 7 ના કરુણ મોત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. લખતરના…

3 days ago

સુરેન્દ્રનગર મનપાના ભાજપના તમામ 52 ઉમેદવારોના નામની જાહેરાત, જાણો કોને મળી ટિકિટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેની પ્રથમ યાદી જાહેર…

1 week ago

સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસની સતર્કતા: બજારમાં મહિલાનો મોબાઈલ ચોરી ભાગતા શખ્સને પીછો કરી ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર શહેરની મુખ્ય શાક માર્કેટમાં ખરીદી કરવા આવેલી એક મહિલાનો મોબાઈલ ચોરી કરી ભાગી રહેલા…

1 week ago

સુરેન્દ્રનગર મનપા ચૂંટણીમાં ઉમેદવારોમાં મિલકત ટેક્સ ભરવા અને નો-ડ્યુ સર્ટિફિકેટ લેવા ભારે ઘસારો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો અત્યારથી…

1 week ago

સુરેન્દ્રનગરમાં માવઠાની આગાહી: કમોસમી વરસાદથી પાક બચાવવા ખેતીવાડી વિભાગની ખેડૂતોને અપીલ

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો…

1 week ago