સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર નવનાથ ગ્વ્હાણે હાલ શિસ્તભંગ કરનારા કર્મચારીઓ સામે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. લાખો રૂપિયાનો પગાર લેવા છતાં ફરજમાં બેદરકારી દાખવતા અને સમયસર ઓફિસ ન આવતા 58 જેટલા કર્મચારીઓને કમિશનરે કારણદર્શક નોટિસ ફટકારી છે.
મનપાના નિયમ અનુસાર સવારે 10:30 થી સાંજે 6:10 સુધીનો ફરજ સમય નક્કી હોવા છતાં, અનેક કર્મચારીઓ મોડા આવતા અને વહેલા ઘરે ભાગી જતા હોવાનું બહાર આવ્યું હતું.
કમિશનરે જાન્યુઆરી મહિનાથી બાયોમેટ્રિક (ફિંગર પ્રિન્ટ) મશીનનું જાતે મોનિટરિંગ શરૂ કર્યું હતું. આ ડેટાના આધારે જે કર્મીઓ શિસ્તનું ઉલ્લંઘન કરતા ઝડપાયા છે તેમની પાસે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે.
કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પ્રજાના કામો માટે સમયપાલન અનિવાર્ય છે. વર્ષોથી ચાલતી લાલિયાવાડી સામેની આ કડક કાર્યવાહીથી મનપાના આળસુ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્રમાં શિસ્ત જાળવવા માટે લેવાયેલા આ પગલાંની શહેરીજનો પ્રશંસા કરી રહ્યા છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…