સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર નવનાથ ગ્વ્હાણે હાલ શિસ્તભંગ કરનારા કર્મચારીઓ સામે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. લાખો રૂપિયાનો પગાર લેવા છતાં ફરજમાં બેદરકારી દાખવતા અને સમયસર ઓફિસ ન આવતા 58 જેટલા કર્મચારીઓને કમિશનરે કારણદર્શક નોટિસ ફટકારી છે.
મનપાના નિયમ અનુસાર સવારે 10:30 થી સાંજે 6:10 સુધીનો ફરજ સમય નક્કી હોવા છતાં, અનેક કર્મચારીઓ મોડા આવતા અને વહેલા ઘરે ભાગી જતા હોવાનું બહાર આવ્યું હતું.
કમિશનરે જાન્યુઆરી મહિનાથી બાયોમેટ્રિક (ફિંગર પ્રિન્ટ) મશીનનું જાતે મોનિટરિંગ શરૂ કર્યું હતું. આ ડેટાના આધારે જે કર્મીઓ શિસ્તનું ઉલ્લંઘન કરતા ઝડપાયા છે તેમની પાસે લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે.
કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પ્રજાના કામો માટે સમયપાલન અનિવાર્ય છે. વર્ષોથી ચાલતી લાલિયાવાડી સામેની આ કડક કાર્યવાહીથી મનપાના આળસુ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્રમાં શિસ્ત જાળવવા માટે લેવાયેલા આ પગલાંની શહેરીજનો પ્રશંસા કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. લખતરના…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેની પ્રથમ યાદી જાહેર…
સુરેન્દ્રનગર શહેરની મુખ્ય શાક માર્કેટમાં ખરીદી કરવા આવેલી એક મહિલાનો મોબાઈલ ચોરી કરી ભાગી રહેલા…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો અત્યારથી…
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો…