Categories: Uncategorized

સુરેન્દ્રનગરના વસ્તડી પુલનું કામ ખાતમહુર્ત બાદ છેલ્લા 4 મહિના થી બંધ હાલતમાં.

16 કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર વસ્તડી પુલનું છેલ્લા 04 મહિનાથી કામગીરી બંઘ હાલતમાં.

45 થી વધુ ગામોના લોકોને હાલાકી..

2023માં પુલ તૂટી ગયો હતો અને બે ભાગ થઇ ગયા હતા…

24 સપ્ટેમ્બર 2023 ના રોજ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ ઉપર આવેલો ભોગાવો નદી ઉપરનો પુલ અચાનક તૂટી પડવા પામ્યો હતો અને તેના ઉપરથી ઓવરલોડ ડમ્પરો તેમજ ઓવરલોડ વાહનો પસાર થતા હોવાના કારણે આ પ્રકારની ઘટના બની હતી જેમાં ત્રણ જેટલા વાહનો પણ ડૂબી ગયા હતા અને વાહન ચાલકો પણ નદીના પાણીમાં ખાબકીયા હતા. ત્યારે 24 સપ્ટેમ્બર ના રોજ બનેલી ઘટના બાદ 2025 માં નવું નિર્માણ આ પુલનું કામ કરાવવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો.

અંદાજિત 16 કરોડ રૂપિયાના ખર્ચે વસ્તડી બ્રિજનું નવનિર્માણ કામ હાથ ધરવા માટે આગેવાનો દ્વારા ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું અને કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા ચાર મહિનાથી સમગ્ર નવનિર્માણ કામ કરવાની પ્રક્રિયા બંધ હાલતમાં છે એક બાજુ ચુડા બોટાદ રાણપુર જવા માટે સુરેન્દ્રનગર ને જોડતો એકમાત્ર આ પુલ આવેલો છે તે પણ છેલ્લા બે વર્ષથી સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ભોગાવો નદીની અંદરથી ડ્રાઈવરજન આપવામાં આવ્યું છે પરંતુ તે પણ અત્યંત બિસમાર હાલતમાં છે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે..

વસ્તડી ખાતે મેલડી માતાજીનું પ્રખ્યાત ધાર્મિક સ્થળ પણ આવેલું છે ત્યારે ત્યાં પણ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે કલાકો સુધી ટ્રાફિક જામમાં પણ ફસાયેલું રહેવું પડી રહ્યું છે 45 ગામના લોકોને તો હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ હાલના તબક્કામાં પુલ બંધ હોવાના કારણે શાળા એ જતી સ્કૂલ વાહનો છે તે પણ ભોગાવો નદીમાંથી પસાર કરવી પડી રહી છે અને તે પણ જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણવા માટે શાળાએ આવવા માટે મજબુર બની રહ્યા છે..

ખાત મહુર્ત કર્યા બાદ ચાર મહિનાથી સમગ્ર કામગીરી બંધ હાલતમાં છે ત્યારે રોજના 1,000 થી વધુ વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોને પણ ભારે મુશ્કેલી વેચવી પડી રહી છે. તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને સુચના આપી અને તાત્કાલિક કામ શરૂ કરાવવામાં આવે તેવી આજુબાજુના 45 થી વધુ ગામના લોકોની માંગ છે કારણ કે આ ગામના લોકોને પણ જરૂર માટે હાલાકી નો સામનો અને તકલીફ વેઠવી પડી રહી છે ખાત મહુર્ત થયું અને નવનિર્માણનું કામ પણ શરૂ થયું પરંતુ તે હવે બંધ પડ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર ધ્યાન આપી તાત્કાલિક કામગીરી પૂરી કરે તેવી માંગ ઉઠવા પામી છે

jeet

Recent Posts

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

2 days ago

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

2 days ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

2 days ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

2 days ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

2 days ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

6 days ago