Categories: Uncategorized

સુરેન્દ્રનગરના વસ્તડી પુલનું કામ ખાતમહુર્ત બાદ છેલ્લા 4 મહિના થી બંધ હાલતમાં.

16 કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર વસ્તડી પુલનું છેલ્લા 04 મહિનાથી કામગીરી બંઘ હાલતમાં.

45 થી વધુ ગામોના લોકોને હાલાકી..

2023માં પુલ તૂટી ગયો હતો અને બે ભાગ થઇ ગયા હતા…

24 સપ્ટેમ્બર 2023 ના રોજ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ ઉપર આવેલો ભોગાવો નદી ઉપરનો પુલ અચાનક તૂટી પડવા પામ્યો હતો અને તેના ઉપરથી ઓવરલોડ ડમ્પરો તેમજ ઓવરલોડ વાહનો પસાર થતા હોવાના કારણે આ પ્રકારની ઘટના બની હતી જેમાં ત્રણ જેટલા વાહનો પણ ડૂબી ગયા હતા અને વાહન ચાલકો પણ નદીના પાણીમાં ખાબકીયા હતા. ત્યારે 24 સપ્ટેમ્બર ના રોજ બનેલી ઘટના બાદ 2025 માં નવું નિર્માણ આ પુલનું કામ કરાવવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો.

અંદાજિત 16 કરોડ રૂપિયાના ખર્ચે વસ્તડી બ્રિજનું નવનિર્માણ કામ હાથ ધરવા માટે આગેવાનો દ્વારા ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું અને કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા ચાર મહિનાથી સમગ્ર નવનિર્માણ કામ કરવાની પ્રક્રિયા બંધ હાલતમાં છે એક બાજુ ચુડા બોટાદ રાણપુર જવા માટે સુરેન્દ્રનગર ને જોડતો એકમાત્ર આ પુલ આવેલો છે તે પણ છેલ્લા બે વર્ષથી સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ભોગાવો નદીની અંદરથી ડ્રાઈવરજન આપવામાં આવ્યું છે પરંતુ તે પણ અત્યંત બિસમાર હાલતમાં છે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે..

વસ્તડી ખાતે મેલડી માતાજીનું પ્રખ્યાત ધાર્મિક સ્થળ પણ આવેલું છે ત્યારે ત્યાં પણ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે કલાકો સુધી ટ્રાફિક જામમાં પણ ફસાયેલું રહેવું પડી રહ્યું છે 45 ગામના લોકોને તો હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ હાલના તબક્કામાં પુલ બંધ હોવાના કારણે શાળા એ જતી સ્કૂલ વાહનો છે તે પણ ભોગાવો નદીમાંથી પસાર કરવી પડી રહી છે અને તે પણ જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણવા માટે શાળાએ આવવા માટે મજબુર બની રહ્યા છે..

ખાત મહુર્ત કર્યા બાદ ચાર મહિનાથી સમગ્ર કામગીરી બંધ હાલતમાં છે ત્યારે રોજના 1,000 થી વધુ વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોને પણ ભારે મુશ્કેલી વેચવી પડી રહી છે. તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને સુચના આપી અને તાત્કાલિક કામ શરૂ કરાવવામાં આવે તેવી આજુબાજુના 45 થી વધુ ગામના લોકોની માંગ છે કારણ કે આ ગામના લોકોને પણ જરૂર માટે હાલાકી નો સામનો અને તકલીફ વેઠવી પડી રહી છે ખાત મહુર્ત થયું અને નવનિર્માણનું કામ પણ શરૂ થયું પરંતુ તે હવે બંધ પડ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર ધ્યાન આપી તાત્કાલિક કામગીરી પૂરી કરે તેવી માંગ ઉઠવા પામી છે

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago